Connect Gujarat
ભરૂચ

ભરૂચ : લુવારા ગામ પાસે નહેરમાં જોવા મળ્યો મહાકાય અજગર, નેચર પ્રોટેકશન ચેરીટેબલ ટ્રસ્ટ ને જાણ કરાતા રેસ્ક્યુ કરાયો

ભરૂચ : લુવારા ગામ પાસે નહેરમાં જોવા મળ્યો મહાકાય અજગર, નેચર પ્રોટેકશન ચેરીટેબલ ટ્રસ્ટ ને જાણ કરાતા રેસ્ક્યુ કરાયો
X

ધોમ ધખતા તાપમાં ભરૂચ જિલ્લા અને શહેરી વિસ્તારોમાં જાણે કરફ્યુ જેવો માહોલ વર્તાય છે માણસોની અવર- જવર દેખાતી નથી પરંતુ ધોમ ધખતી ધરામાંથી સરીસૃપ પ્રાણી આકળ વિકળ થઈ બહાર દેખાઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ લુવારા ગામે એક સરીસૃપ અજગરનું રેસ્ક્યું કરવામાં આવ્યું. જે નર્મદાની કેનાલમાં હાલમાં ખેડૂતોને મળતા સિંચાઇના પાણીમાંથી એક સાત ફૂટ નો અજગર મહા મહેનતે પકડવામાં આવ્યો.

આ અંગે ગામના સરપંચ સિરાજભાઈને જાણ થતાં તેમણે નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરીને જાણ કરતા જ તાબડતોડ ટીમના સભ્યો સર્વ શ્રી જાહિદભાઈ, હિરેનભાઈ શાહ, રમેશભાઈ દવે તેમજ અન્ય સાથીઓએ અજગરને કેનાલમાંથી વહેતા પાણીમાં ઉતરીને ઘણી જહેમત બાદ પકડીને બહાર કાઢવામાં સફળતા મળી હતી. ત્યાર બાદ વન વિભાગનો સંપર્ક કરીને તેમને સાત ફૂટનો સરીસૃપ અજગર સોંપી અજગરને વ્યવસ્થિત રીતે યોગ્ય સ્થળે છોડવામાં આવ્યો હતો.

Next Story