ભરૂચ:નબીપુરમાં પીર ખોજનદીશા બાવાના ઉર્શની શાનદાર ઉજવણી,હિન્દુ મુસ્લિમ બિરાદરો જોડાયા
ભરૂચના નબીપુરમાં પીર ખોજનદીશા બાવાના ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટીસંખ્યામાં હિન્દુ-મુસ્લિમ બિરાદરો જોડાયા હતા
BY Connect Gujarat Desk14 Sep 2023 5:40 AM GMT
X
Connect Gujarat Desk14 Sep 2023 5:40 AM GMT
ભરૂચના નબીપુરમાં પીર ખોજનદીશા બાવાના ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટીસંખ્યામાં હિન્દુ-મુસ્લિમ બિરાદરો જોડાયા હતા
ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત હઝરત પીર ખોજનદીશા બાવાની દરગાહ આવેલ છે જેમાં દરેક જ્ઞાતિના લોકો આસ્થા ધરાવે છે.ગુરુવાર 14 સપ્ટેમ્બર 2023ના રોજ ખોજનદીશા બાવાનો ઉર્ષ ઉજવાય રહ્યો છે ત્યારે ગઈકાલે 13 સપ્ટેમ્બર 2023 ની રાત્રે ઈશાની નમાઝ પછી કુરાન ખાની રાખી હતી જે પછી નબીપુર દાવળશા સ્ટ્રીટ માંથી તેમનો સંદલ નીકળ્યો હતો જે ગામના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ દરગાહ ખાતે પહોંચ્યો હતો જ્યાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ
Next Story