ભરૂચ : ગુજરાત ગેસ કંપનીના કર્મચારીના પરિવાર સાથે ધરણાં, મેડિકલ બિલના નાણા નહિ ચુકાવાયાનો આક્ષેપ

કર્મચારીએ મેનેજમેન્ટ સામે કર્યા ગંભીર આક્ષેપો, મેડીકલ બિલના પૈસા કંપની આપતી નહિ હોવાનો આક્ષેપ.

New Update
ભરૂચ : ગુજરાત ગેસ કંપનીના કર્મચારીના પરિવાર સાથે ધરણાં, મેડિકલ બિલના નાણા નહિ ચુકાવાયાનો આક્ષેપ

ભરૂચની ગુજરાત ગેસ કંપની વિવાદમાં આવી છે. કંપનીના જ કર્મચારીએ મેડિકલના બિલોની ચુકવણી કરવામાં આવતી નહી હોવાના આક્ષેપ સાથે કંપનીના ગેટ પર જ ધરણા શરૂ કરી દીધાં છે. ગુજરાત ગેસ કંપનીના કર્મચારી દિલ્પેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા સાત વર્ષથી ગુજરાત ગેસ ખાતે ફરજ બજાવી રહ્યા છે, દર મહિને પગારમાંથી આરોગ્યના હેતુસર અમુક રકમ કપાઈ છે.

જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે પરંતુ દવાખાનાના અંગત કામ માટે વપરાયેલ નાણાં પેટે પહેલા તમે જાતે જ પેમેન્ટ કરી દો ત્યારબાદ કંપની પેમેન્ટ ચૂકવે તેવું જાણવામાં આવ્યું હતું. તેમના બાકી પેમેન્ટ માટે છેલ્લા છ મહિનાથી ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી છે પણ આજદિન સુધી મળવાપાત્ર રકમ તેમને મળી નથી. તેઓ તેમના પત્ની, વૃધ્ધ પિતા અને સાત વર્ષના બાળક સાથે ધરણા પર બેઠા છે અને જયાં સુધી તેમના પશ્નનો નિકાલ નહિ આવે ત્યાં સુધી ધરણા ચાલું રહેશે.

તરફ કનેકટ ગુજરાતની ટીમે ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ કંપનીની પ્રતિક્રિયા જાણી શકાય નથી.

Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.