Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ગુજરાતી હાસ્ય કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈના હસ્તે વરેડીયા નજીક ઇસ્તારા ફૂડ મોલનું ઉદઘાટન કરાયું...

ભરૂચમાં ભારતની સૌથી મોટી મલ્ટી બ્રાન્ડ ડીનર તરીકે લોકપ્રીય ઈસ્તારાએ ગુજરાતમાં 50મું મલ્ટી બ્રાન્ડ ફૂડ મોલ શરૂ કર્યુ છે.

X

ભરૂચમાં ભારતની સૌથી મોટી મલ્ટી બ્રાન્ડ ડીનર તરીકે લોકપ્રીય ઈસ્તારાએ ગુજરાતમાં 50મું મલ્ટી બ્રાન્ડ ફૂડ મોલ શરૂ કર્યુ છે. વરેડીયા નજીક શરૂ કરાયેલ રુદ્રાક્ષ ફૂડ મોલનું ગુજરાતી હાસ્ય કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

ભરૂચમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર 48 પર વરેડીયા નજીક રૂદ્રાક્ષ ટ્રાવેલ પ્લાઝા ખાતે ભારતની સૌથી મોટી મલ્ટી બ્રાન્ડ ડીનર તરીકે લોકપ્રીય ઈસ્તારાએ 50મું મલ્ટી બ્રાન્ડ ફૂડ મોલ શરૂ કર્યુ છે. રુદ્રાક્ષ ફૂડ મોલનું ગુજરાતના ખ્યાતનામ યુટયુબ સ્ટાર અને હાસ્ય કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ નવો મલ્ટી બ્રાન્ડ ફૂડ મોલ અહીંથી પસાર થતાં મુસાફરો માટે વિશાળ રસોઈની વિવિધતા ઉપલબ્ધ કરાવશે. આ પ્રસંગે ઈસ્તારાના સીઈઓ અને સહ સ્થાપક વિજયન કૃષ્ણ કુમાર સહિત ઈસ્તારા પરિવાર, રુદ્રાક્ષ ફૂડ મોલના માલિક હેમલ ચોવટીયા, આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story