/connect-gujarat/media/post_banners/a6427626b472cc3a360c25fa6d1f09fc70766c46713dc0f9f19dd423df53ea67.jpg)
ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા દ્વારા આજરોજ ગુરુપૂર્ણિમાના પર્વ નિમિત્તે ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે ગુરુપૂર્ણિમાના દિવસે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ 'ગુરૂ વંદન છાત્ર અભિનંદન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ અને અંકલેશ્વરની વિવિધ શાળાઓમાં આજરોજ ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા દ્વારા ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભરૂચની શ્રવણ વિદ્યાધામ,પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ,પ્રાર્થના વિદ્યાલય, નારાયણ વિદ્યાવિહાર,જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડમી,ચાણક્ય વિદ્યાલય,નાલંદા વિદ્યાલય અને તક્ષશીલા વિદ્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમ્યાન દરેક શાળામાં ગુરુ એવા શાળાના આચાર્ય અને શિક્ષકોનું પૂજન કરવામાં આવ્યું હતું અને તેઓને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
સાથે જ આપણા જીવનમાં ગુરુનું શું મહત્વ રહેલું છે એ સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાના અધ્યક્ષ નરેશ ઠક્કર, રાષ્ટ્રીય સમૂહ ગાનના કો ઓર્ડિનેટર સંદીપ શર્મા,સેક્રેટરી કે.આર.જોશી,મહિલા સંયોજિકા રૂપલ જોશી,સંગઠન મંત્રી ભાસ્કર આચાર્ય,બજરંગ શારસ્વત, ભારત કો જાનો પ્રોગ્રામના કો ઓર્ડિનેટર ડો.મહેશ ઠાકર,દક્ષિણ પ્રાંતના મીડિયા કો ઓર્ડિનેટર યોગેશ પારિક,દક્ષિણ પ્રાંતના યુવા અધ્યક્ષ જય વ્યાસ સહિતના આગેવાનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ શાળાના આચાર્યા મેઘના ટંડેલ,પ્રોગ્રેસિવ હાઈસ્કૂલના આચાર્ય નેહાબહેન અને અભેસિંહ રાઠોડ,નારાયણ વિદ્યાવિહાર શાળાના રમેશભાઈ,પ્રાર્થના વિદ્યાલયના શ્રુતિ પટેલ, શ્રવણ વિદ્યાધામના વૈભવ બિનીવાલે,અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનનલ સ્કૂલના અનુરાગ પાંડે, ચાણક્ય વિદ્યાલયના મહેશ પટેલ,નાલંદા વિદ્યાલયના અશોક ઝા તેમજ તક્ષશીલા વિદ્યાલયના વિમલ પાઠક અને ગુમાનભાઈ પટેલનો ભારત વિકાસ પરિષદને સહયોગ સાંપડ્યો હતો