ભરૂચ : ઉભરાતી ગટરના કારણે 2 સોસાયટીના રહીશો ત્રાહિમામ, રોષ વ્યક્ત કર્યો

ભરૂચની 2 સોસાયટીના રહીશો ગંદકીના કારણે ત્રાહિમામ, નવિલા સોસાયટી અને વિશ્વંભર સોસાયટીના રહીશોના પ્રશ્નો.

New Update
ભરૂચ : ઉભરાતી ગટરના કારણે 2 સોસાયટીના રહીશો ત્રાહિમામ, રોષ વ્યક્ત કર્યો

ભરૂચની નંદેલાવ ગ્રામ પંચાયતમાં આવેલ સનવિલા સોસાયટી અને વિશ્વંભર સોસાયટીના રહીશો ગંદકીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગટરનું પાણી માર્ગ પર ફરી વળતાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાય રહી છે.

ભરૂચની નદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ સનવિલા સોસાયટી અને વિશ્વંભર સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સોસાયટીમાં ગટરનું દૂષિત પાણી ફરી વળ્યું છે જેના કારણે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાય રહી છે. એ અંગે રહીશોના આક્ષેપ અનુસાર સોસાયટીની નજીકમાં આવેલ કમર્શિયલ કોમ્પ્લેક્ષમાંથી અએ દૂષિત પાણી આવી રહ્યું છે. આ અંગે ગ્રામપંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતા પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી આથી પ્રશ્નના તાકીદે નિરાકરણની માંગ કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.