Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઉભરાતી ગટરના કારણે 2 સોસાયટીના રહીશો ત્રાહિમામ, રોષ વ્યક્ત કર્યો

ભરૂચની 2 સોસાયટીના રહીશો ગંદકીના કારણે ત્રાહિમામ, નવિલા સોસાયટી અને વિશ્વંભર સોસાયટીના રહીશોના પ્રશ્નો.

X

ભરૂચની નંદેલાવ ગ્રામ પંચાયતમાં આવેલ સનવિલા સોસાયટી અને વિશ્વંભર સોસાયટીના રહીશો ગંદકીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગટરનું પાણી માર્ગ પર ફરી વળતાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાય રહી છે.

ભરૂચની નદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ સનવિલા સોસાયટી અને વિશ્વંભર સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સોસાયટીમાં ગટરનું દૂષિત પાણી ફરી વળ્યું છે જેના કારણે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાય રહી છે. એ અંગે રહીશોના આક્ષેપ અનુસાર સોસાયટીની નજીકમાં આવેલ કમર્શિયલ કોમ્પ્લેક્ષમાંથી અએ દૂષિત પાણી આવી રહ્યું છે. આ અંગે ગ્રામપંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતા પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી આથી પ્રશ્નના તાકીદે નિરાકરણની માંગ કરવામાં આવી છે.

Next Story