ભરૂચ : વાલિયાના રૂંધા ગામે ચાલતા ગેર’કાયદે ચંદન વેચાણના કૌભાંડનો પર્દાફાશ, મૂળ સુરતના દંપત્તિની અટકાયત...

ભરૂચ જિલ્લામાં ખાસ કરી જંગલ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમો સતત કામગીરી કરી રહી છે.

New Update
ભરૂચ : વાલિયાના રૂંધા ગામે ચાલતા ગેર’કાયદે ચંદન વેચાણના કૌભાંડનો પર્દાફાશ, મૂળ સુરતના દંપત્તિની અટકાયત...

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના રૂંધા ગામ ખાતે નેત્રંગ વન વિભાગે દરોડા પાડી ગેરકાયદેસર ચંદનના લાકડા અને પાવડરનું વેચાણ કરતા દંપત્તિની લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લામાં ખાસ કરી જંગલ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમો સતત કામગીરી કરી રહી છે. ફોરેસ્ટ હદ વિસ્તારમાં ગેરકાયદેસર લાકડાના કટિંગ હોય કે, અન્ય પ્રવૃતિઓ બાબતે સતત ગુનાખોરીને અંજામ આપતાં તત્વોને કાયદાના પાઠ ભણવવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા ઘણાં સમયથી સરકારી કે, ખાનગી રહેઠાણ વિસ્તારમાંથી છુટા છવાયા અમૂલ્ય ચંદન ચોરી થવાના અનેક બનાવો સામે આવ્યા હતા. નેત્રંગના હાથાકુંડી મંદિરના વિસ્તારમાં પણ રાત્રીના સમયે તસ્કરો ચંદન ચોરી ગયા હતા, જે મામલાની તપાસ નેત્રંગ ફોરેસ્ટ વિભાગ દ્વારા SOG અને હ્યુમન ઇન્ટેલીજન્સના સંકલનમાં રહી શરૂ કરવામાં આવી હતી. તેવામાં નેત્રંગ ફોરેસ્ટ વિભાગને ચોક્ક્સ બાતમી મળી હતી કે, ચોરી થયેલ ચંદનનો જથ્થો વાલિયા તાલુકાના રૂંધા ગામ ખાતેના એક મકાનમાં હોય, જેથી ફોરેસ્ટના અધિકારીઓ બાતમીવાળી જગ્યાએ દોડી ગયા હતા.

જોકે, વાલિયા તાલુકાના રૂંધા ગામ ખાતે બાતમીવાળા સ્થળે તપાસ કરતાં મૂળ સુરતના કામરેજના વિમલ મહેતાના ઘરેથી ચંદનનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ ફોરેસ્ટ વિભાગ સહિત પોલીસે મામલે વિમલ મહેતાની પૂછપરછ કરતાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. ચંદન ચોર વિમલ મહેતા છોટા ઉદેપુરથી લઈ ડાંગ સુધીના વિસ્તારમાં ખેડૂતોના સંપર્કમાં રહી ઓછા ભાવે ચંદન ખરીદી કરી લાવી ગેરકાયદેસર સંગ્રહ કરતો હતો. સાથે સાથે જ્યાં ચંદન ચોરી થાય તે ચંદન ચોરોના સતત સંપર્કમાં રહી ચોરી કરેલ માલ પણ પોતે ખરીદી કરી લેતો હતો, અને જે તે માંગણી મુજબ મશીનરીનો ઉપયોગ કરી ચંદનને વિવિધ સ્વરૂપે સુરત તેમજ આજુબાજુના જૈન મંદિરોમાં વેચતો હતો. કોઈને શંકા ન જાય માટે જ વેચાણ અંગેનું બિલ પણ આપતો હતો. હાલ નેત્રંગ ફોરેસ્ટ વિભાગ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મૂળ સુરતના દંપત્તિની અટકાયત કરી છે. આ સાથે જ ચંદન ગોળ આખા, ચંદનના ટુકડા, ચિપ્સ, પાવડર, છોલ સહિતની વસ્તુઓ મળી અંદાજીત રૂપિયા 35 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

Latest Stories