ભરૂચ: ગરમીના કારણે ઝાડા ઉલટીના કેસમાં વધારો,સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય

છેલ્લા ત્રણ દિવસથી આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે.આકાશમાંથી વરસતા અગન ગોળાના કારણે તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી વટાવી રહ્યો છે

New Update
ભરૂચ: ગરમીના કારણે ઝાડા ઉલટીના કેસમાં વધારો,સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય

ભરૂચ જીલ્લામાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં રોજના સરેરાશ 15 થી વધુ કેસ આવી રહ્યા છે જેમાં ઝાડા ઉલટી અને ડી હાઇડ્રેશનના કેસ સૌથી વધુ હોય છે મે મહિનાના પ્રારંભમાં કમોસમી વરસાદી માહોલ રહ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે.આકાશમાંથી વરસતા અગન ગોળાના કારણે તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી વટાવી રહ્યો છે.જે હજુ પણ ઊંચે જવાની સંભાવના હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.વધતા જતા તાપમાન પગલે ભરૂચ શહેર જિલ્લામાં ડી હાઇડ્રેશન, ઝાડા ઉલટીના કેસમાં ઉછાળો આવ્યો છે.ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રોજના 15થી વધુ કેસ આવી રહ્યા છે

Read the Next Article

અંકલેશ્વર: DGVCLનું વીજ મીટર ક્ષતિગ્રસ્ત થતા વીજ બિલ આવ્યું વધુ, ગ્રાહકે રજુઆત કરતા ભૂલ બહાર આવી

અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા

New Update
  • અંકલેશ્વરના અંદાડાનો બનાવ

  • વીજ મીટરમાં સર્જાય ક્ષતિ

  • સામાન્ય મકાનનું બિલ વધુ આવ્યું

  • પરિવારે વીજ કંપનીને કરી રજુઆત

Advertisment W3.CSS
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના પગલે સામાન્ય ઘરનું વીજબીલ વધુ આવતા પરિવારજનોએ વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરી હતી અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા.
પરિવારના સભ્યોએ ડીજીવીસીએલ કચેરી ખાતે જઈને અધિકારીઓને રજુઆત કરી હતી જેના પગલે પરિવારને 680 રૂપિયા લાઈટ બિલ ભરવા માટે લખી આપવામાં આવ્યું હતું.ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ લાઈટ બિલથી મીટરમાં ફોલ્ટ હોવાને લીધે સરેરાશ બિલ જનરેટ થાય છે. તેથી આ વખતે પણ બધા બિલનો સરવાળો કરી રીડિંગ લેવામાં આવ્યુ હતુ જેના કારણે આ પ્રશ્ન ઉદ્દભવ્યો છે.