Connect Gujarat
ભરૂચ

ભરૂચ:જગન્નાથ સેવા સમિતિ દ્વારા ઓરિસ્સા જતી ટ્રેનોને સ્ટોપેજ આપવા સાંસદને કરવામાં આવી રજૂઆત

જગન્નાથ સેવા સમિતિ-ભરૂચ દ્વારા રેલવેમંત્રીને સબોધેલ આવેદનપત્ર સાંસદ મનસુખવસાવાને પાઠવી ઓરિસ્સા જતી ટ્રેનોને ભરૃચ સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવી હતી

X

જગન્નાથ સેવા સમિતિ-ભરૂચ દ્વારા રેલવેમંત્રીને સબોધેલ આવેદનપત્ર સાંસદ મનસુખવસાવાને પાઠવી ઓરિસ્સા જતી ટ્રેનોને ભરૃચ સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવી હતી

ઓડિયા સમાજના અગ્રણીઓ દ્વારા જગન્નાથ સેવા સમિતિ-ભરૂચના માધ્યમથી સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાત રાજ્યમાં ભરૂચ જીલ્લામાં 9 ઔદ્યોગિક વિસ્તારો આવેલા છે જેમાં ઓડિશા/MP/આંધ્રપ્રદેશ/મહારાષ્ટ્રના હજારો કામદારો કામ કરી રહ્યા છે. જો કે ઓડિશા જવા માટે માત્ર એક જ ટ્રેન અમદાવાદ-પુરીનું ભરૂચ સ્ટેશન પર સ્ટોપેજ છે .જ્યાં ગાંધીધામ-પુરી/અજમેર-પુરી/વલસાડ-પુરી/ઓખા-પુરી જેવી ઘણી બધી ટ્રેનો ભરૂચ સ્ટેશનથી ચાલે છે. સુરત-પુરી વચ્ચે ચાલતી સુરત-પુરી ટ્રેનને પણ ભરૂચ/વડોદરા સ્ટેશન સુધી લંબાવી શકાય છે. આ ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા લોકોને વતન માં જવા ભરૂચથી લગભગ 80 કિલોમીટરના અંતરે આવેલા સુરત અથવા વડોદરામાં જવું પડે છે. તેથી લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી ગાંધીધામ-પુરી/અજમીર-પુરી/વલસાડ-પુરી/ઓખા-પુરી જેવી ટ્રેનોના સ્ટોપેજ અને ભરૂચ સ્ટેશનથી પસાર થતી સુરત-પુરી ને ભરૃચ સુધી લંબાવવાની માંગ કરવામાં આવી હતી

Next Story