ભરૂચ : પ્રજાપિતા બ્રહમાકુમારીઝ ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી
ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી
BY Connect Gujarat29 Aug 2021 11:19 AM GMT
X
Connect Gujarat29 Aug 2021 11:19 AM GMT
ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલાં પ્રજાપિતા બ્રહમાકુમારીઝ વિશ્વ વિદ્યાલય ખાતે જન્માષ્ટમીના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.
ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મટકી ફોડ રાસ-ગરબા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.. ભૂલકાઓએ અલગ અલગ વેશભૂષા ધારણ કરી આર્કષણ જમાવ્યું હતું. સૃષ્ટિમાં ફરી સ્વર્ગનું સર્જન થાય તેવી શુભભાવના સાથે પર્વની ઉજવણી કરાય.. બ્રહમાકુમારીઝની બહેનોની હાજરીમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉજવણીમાં સામેલ થયાં હતાં...
Next Story