ભરૂચ: ઝઘડિયાની રાજશ્રી પોલીફીલ કંપની દ્વારા રક્તદાન શિબિરનું કરાયુ આયોજન
ભરૂચના ઝઘડિયાની રાજશ્રી પોલીફીલ કંપની અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
BY Connect Gujarat14 July 2023 12:11 PM GMT
X
Connect Gujarat14 July 2023 12:11 PM GMT
સેન્ચુરી એન્કા લીમીટેડના બામલ્લા યુનિટ રાજશ્રી પોલીફિલ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી,રાજપીપળા ના સંયુક્ત ઉપક્રમે RPL ખાતે રક્તદાન શિબિર યોજાઇ જેમાં કંપનીના ૬૫ કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું, આ રક્તદાન શિબિરમાં કંપનીના ૬૫ કર્મચારીએ સ્વેછિક રક્તદાન કર્યુ હતું.
આ તબબ્કે કંપની આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિન્ટ સંજય અગ્રવાલે જણાવ્યુ હતું કે આ વિસ્તારમાં રક્તદાન અંગે જાગૃતિ લાવવા ઉપરાંત લોહીની જરૂરિયાતને પોહચી વળવા માટે રાજશ્રી પોલીફિલ દ્વારા સમયયાંતરે રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવે છે
Next Story