ભરૂચ : જે.પી.કોલેજના બાયોલોજી વિભાગનો નવતર પ્રયોગ, 125 વૃક્ષોની વિસ્તૃત માહિતી મેળવવા QR કોડ સ્કેન કરો...

ભરૂચ શહેરની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના બાયોલોજી વિભાગે ટેકનોલોજીના ઉપયોગથી વૃક્ષોની માહિતી લોકો સુધી પહોંચે તે માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે.

New Update
ભરૂચ : જે.પી.કોલેજના બાયોલોજી વિભાગનો નવતર પ્રયોગ, 125 વૃક્ષોની વિસ્તૃત માહિતી મેળવવા QR કોડ સ્કેન કરો...

ભરૂચ શહેરની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના બાયોલોજી વિભાગે ટેકનોલોજીના ઉપયોગથી વૃક્ષોની માહિતી લોકો સુધી પહોંચે તે માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે.

વિશ્વમાં દિનપ્રતિદિન નવી ટેકનોલોજી આવી રહી છે. હાલ આપણી આસપાસનો માહોલ પણ ડીજીટલ થઇ ગયો છે. 40 એકરમાં ફેલાયેલા ભરૂચની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના કેમ્પસમાં 125થી વધારે પ્રજાતિના વૃક્ષો છે, ત્યારે આ તમામ વૃક્ષો સાથે કયુઆર કોડ લગાવવામાં આવ્યો છે. આ કોડને મોબાઇલમાં સ્કેન કરતાની સાથે જે તે વૃક્ષ સાથે સંકળાયેલી તમામ માહિતી મળી રહેશે. કોલેજના બાયોલોજી વિભાગના છાત્રોએ આ QR કોડ બનાવી દરેક વૃક્ષ પર લગાવ્યા છે. આચાર્ય ડૉ. એન.બી.પટેલના માર્ગદર્શન હેઠળ બાયોલોજી વિભાગના સ્ટાફે આ કામગીરી પાર પાડી છે, અને આ પ્રકારની સિદ્ધિ મેળવનાર જે.પી.કોલેજ દક્ષિણ ગુજરાતની કોલેજ બની છે. પ્રથમ કેમ્પસમાં આવેલાં વૃક્ષોની આસપાસ QR કોડ જોવા મળી રહ્યા છે. બાયોલોજી વિભાગના વિદ્યાર્થીઓ તો વનસ્પતિઓની વિવિધ પ્રજાતિઓથી સુપેરે વાકેફ હોય છે, પણ અન્ય વિદ્યાર્થીઓ તથા મુલાકાતીઓને પણ વૃક્ષોની માહિતી મળી રહે તે માટે આ QR કોડ લગાવવામાં આવ્યા છે.

Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.