ભરૂચ : નંદેલાવ અને રહાડપોરમાં વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુર્હુત...

ભરૂચ શહેરને અડીને આવેલા આસપાસના ગામોમાં પણ અનેકવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.

New Update
ભરૂચ : નંદેલાવ અને રહાડપોરમાં વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુર્હુત...

ભરૂચ શહેરના નંદેલાવ અને રહાડપોર ગામમાં રૂ. 57 લાખથી વધુના ખર્ચે બસ સ્ટેન્ડ, પેવર બ્લોક, પ્રોટેક્શન વોલ, કોમ્યુનિટી હોલ, વીજળીકરણ સહિતના વિકાસ કાર્યોનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ તથા ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા.

ભરૂચ શહેરને અડીને આવેલા આસપાસના ગામોમાં પણ અનેકવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. જેમાં નંદેલાવ ખાતે બસ સ્ટેન્ડ, પેવર બ્લોક, ગજાનંદ માર્ગ પર વીજળીકરણ, વિવિધ વિસ્તારોમાં રમત ગમતના સાધનો અને બાકડાનું લોકાર્પણ તેમજ ગામ તળાવની પ્રોટેક્શન વોલનું ખાતમુર્હુત, આ ઉપરાંત રહાડપોર ગામ ખાતે ગટરલાઇન, પેવર બ્લોક અને બોરવેલનું લોકાર્પણ તથા કોમ્યુનિટી હોલ, પંચાયત સંકુલ અને વોટર વર્ક્સ ફરતે કમ્પાઉન્ડ વોલનું ખાતમુર્હુત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.