ભરૂચ : મંગલદીપ સોસાયટી સ્થિત મહાદેવ મંદિરમાં તસ્કરનો હાથફેરો, તમામ કરતૂત CCTVમાં કેદ..!

તસ્કરની તમામ હરકત અને દાનપેટી તોડીને કરાયેલી ચોરી મંદિરના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ

New Update
ભરૂચ : મંગલદીપ સોસાયટી સ્થિત મહાદેવ મંદિરમાં તસ્કરનો હાથફેરો, તમામ કરતૂત CCTVમાં કેદ..!

ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલ મંગલદીપ સોસાયટી સ્થિત મહાદેવ મંદિરની દાનપેટીને તોડનાર તસ્કર CCTV કેમેરામાં કેદ થયો છે. હાલ અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ભરૂચના બાયપાસ રોડ પર આવેલ સોસાયટીના મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું છે. મળતી માહિતી અનુસાર, ગત શનિવારે મધરાતે દહેજ બાયપાસ રોડ પર આવેલ મંગલદીપ સોસાયટી સ્થિત મહાદેવ મંદિરમાં એક તસ્કર ત્રાટકે છે. આ તસ્કર હાથમાં લોખંડની પાઇપ લઈ સોસાયટીના શિવ મંદિરમાં પ્રવેશ્યો હતો, જ્યાં મંદિરની દાનપેટીને તોડી તેમાં રહેલ રોકડ રકમ અને ચઢાવો ચોરી લીધો હતો. જોકે, તસ્કરની તમામ હરકત અને દાનપેટી તોડીને કરાયેલી ચોરી મંદિરના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. તો બીજી તરફ, સોસાયટીના રહીશોએ આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા અંગે તજવીજ હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર : ભગવાન જગન્નાથ,બહેન શુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળતા ભક્તો બન્યા ભાવુક

અંકલેશ્વર શહેરની  હરિદર્શન સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરથી  ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી.પહિંદવિધિ થયા બાદ ભગવાન રથમાં બિરાજીને ભક્તોના દ્વારે પહોંચ્યા હતા.

New Update
  • અષાઢી બીજનો પાવન અવસર

  • ભગવાનની નગરચર્યામાં ભક્તો બન્યા ભાવુક

  • જય રણછોડ માખણ ચોરનો ગુંજ્યો જયઘોષ

  • જગતના નાથ સ્વયં ભક્તોના દ્વારે પહોંચ્યા

  • પોલીસના લોખંડી સુરક્ષા કવચ સાથે રથયાત્રાનું આયોજન

અંકલેશ્વર શહેરની  હરિદર્શન સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરથી  ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી.પહિંદવિધિ થયા બાદ ભગવાન રથમાં બિરાજીને ભક્તોના દ્વારે પહોંચ્યા હતા.

અંકલેશ્વર શહેરની હરિદર્શન સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરથી જગતના નાથ જગન્નાથ,બહેન શુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા છે.વહેલી સવારે ભગવાન જગન્નાથનાં મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાદ ભગવાન જગન્નાથબહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથમાં બિરાજીત થયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત,રામકુંડના મહંત ગંગાદાસ બાપુ,સ્થાનિક અગ્રણીઓ અને સંતો-ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અષાઢી બીજના પાવન અવસરે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જય જગન્નાથનાં જયઘોષ સાથે રથયાત્રા શરૂ થઈ હતી. જે દીવા રોડજલારામ મંદિરભરૂચીનાકા થઇને ચૌટા નાકાચૌટા બજાર થઇ મુખ્ય બજારો અને શહેરોના અન્ય માર્ગો પર ફરી મોડી સાંજે નીજ મંદિરમાં પરત ફરશે.રથયાત્રાને લઇને પોલીસતંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.

શ્રદ્ધાળુઓએ રથયાત્રામાં અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો.અને ભગવાન સ્વયં ભક્તોનાં દ્વારે દર્શન આપતા ભક્તો ભાવવિભોર બન્યા હતા.તેમજ મગ,જાંબુનો પ્રસાદ આરોગીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.