ભરૂચ: MLA ડી.કે.સ્વામીએ જંબુસરના ડોલીયા દેણવા બ્રિજની કામગીરીનું કર્યું નિરિક્ષણ, જુઓ શું આપી સૂચના

જંબુસર ડોલીયા દેણવા બ્રિજનું કામ મંદગતિએ ચાલતુ હોવાની ફરિયાદ બાદ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ કામગીરીનું નિરિક્ષણ કરી કામ વહેલી તકે પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા

New Update
ભરૂચ: MLA ડી.કે.સ્વામીએ જંબુસરના ડોલીયા દેણવા બ્રિજની કામગીરીનું કર્યું નિરિક્ષણ, જુઓ શું આપી સૂચના

ભરૂચના જંબુસર ડોલીયા દેણવા બ્રિજનું કામ મંદગતિએ ચાલતુ હોવાની ફરિયાદ બાદ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ કામગીરીનું નિરિક્ષણ કરી કામ વહેલી તકે પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા

ભરૂચના જંબુસરથી દહેજ વાગરા તરફ જવાના માર્ગ પર જનતા સહેલાઈથી પહોંચી શકે અને સમય ઓછો બગડે તે માટે ડોલીયા-દેણવાનો બ્રિજ બનાવવાનું કાર્ય છેલ્લા આપાંચ વર્ષ જેટલા સમયથી ચાલુ છે જો કે કામગીરી મંદગતિએ ચાલતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ ણ થતાં લોકોના સમયનો વેડફાટ થઈ રહયો છે. આ અંગેની રજૂઆતો બાદ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ આજરોજ બ્રિજની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.