Connect Gujarat
ભરૂચ

ભરૂચ: મોતાલી ગામના 17 વર્ષીય કિશોરની હત્યા,પી.એમ.રિપોર્ટમાં થયો ખુલાસો

અંકલેશ્વરના મોતાલી ગામમાંથી 6 દિવસ પહેલા ગુમ થયેલ 17 વર્ષીય કિશોરનો મૃતદેહ ઉછાલી ગામની સીમમાંથી મળી આવવાના મામલામાં કિશોરની ગળુ દબાવી હત્યા કરાય હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે

X

અંકલેશ્વરના મોતાલી ગામમાંથી 6 દિવસ પહેલા ગુમ થયેલ 17 વર્ષીય કિશોરનો મૃતદેહ ઉછાલી ગામની સીમમાંથી મળી આવવાના મામલામાં કિશોરની ગળુ દબાવી હત્યા કરાય હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે

અંકલેશ્વરના મોતાલી ગામના કૈલાસ ટેકરી ફળિયામાં રહેતો 17 વર્ષીય જિગ્નેશ જીતુભાઈ વસાવા ગત તારીખ-12મી નવેમ્બરના રોજ રાતે 8:30 કલાકથી ગુમ થયો હતો કિશોર ગુમ થતાં પરિવારજનોએ અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી જે કિશોરનો 6 દિવસ બાદ અંકલેશ્વર તાલુકાનાં ઉછાલી ગામની સીમમાંથી ઝાડી ઝાખરામાંથી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો બનાવ અંગે ઉછાલી ગામના ગ્રામજનોએ તાલુકા પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી કિશોરની હત્યા થઈ છે કે અન્ય કારણોસર તેનું મોત નીપજયું છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવાનની ગળુ દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Next Story