Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરના કાપોદ્રા ગામે પ્રેમ સંબંધમાં યુવાનની હત્યા,4 આરોપીઓની ધરપકડ

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં અંગત અદાવતે થયેલ યુવાનના હત્યાના મામલામાં તાલુકા પોલીસે મુખ્ય આરોપી સહિત ચાર હત્યારાઓને ઝડપી પાડ્યા હતા.

X

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં અંગત અદાવતે થયેલ યુવાનના હત્યાના મામલામાં તાલુકા પોલીસે મુખ્ય આરોપી સહિત ચાર હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. પ્રેમ સંબંધમાં યુવાનની હત્યા થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામના તલાવડી ફળિયામાં રહેતો 25 વર્ષીય સંજય શાંતિલાલ વસાવાને ગામના સુનિલ ઉસ્તાદ વસાવાની બહેન સાથે પ્રેમ સંબંધનો વહેમ રાખી અગાઉ ઝઘડો થયો હતો જેની અદાવત રાખી સંજય વસાવાના ઘર પાસે સુનિલ ઉસ્તાદ વસાવા,મયૂદ્દીન ઉર્ફે બકી સલીમ શેખ અને સોહેલ સિકંદર પઠાણ,સતીષ વિજય વસાવા તેની સાથે ઝઘડો કરી તેને મારમાર્યો હતો આ ઝઘડામાં આવેશમાં આવી ગયેલા મયૂદ્દીન સલીમ શેખ ઉશ્કેરાઈ જઈ પોતાના ઘરેથી ચપ્પુ ઘા મારી તેની હત્યા કરી ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા તાલુકા પોલીસે ચારેય હત્યારા વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે ચારેય હત્યારાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story