ભરૂચ: અંકલેશ્વરના કાપોદ્રા ગામે પ્રેમ સંબંધમાં યુવાનની હત્યા,4 આરોપીઓની ધરપકડ

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં અંગત અદાવતે થયેલ યુવાનના હત્યાના મામલામાં તાલુકા પોલીસે મુખ્ય આરોપી સહિત ચાર હત્યારાઓને ઝડપી પાડ્યા હતા.

New Update
ભરૂચ: અંકલેશ્વરના કાપોદ્રા ગામે પ્રેમ સંબંધમાં યુવાનની હત્યા,4 આરોપીઓની ધરપકડ

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં અંગત અદાવતે થયેલ યુવાનના હત્યાના મામલામાં તાલુકા પોલીસે મુખ્ય આરોપી સહિત ચાર હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. પ્રેમ સંબંધમાં યુવાનની હત્યા થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામના તલાવડી ફળિયામાં રહેતો 25 વર્ષીય સંજય શાંતિલાલ વસાવાને ગામના સુનિલ ઉસ્તાદ વસાવાની બહેન સાથે પ્રેમ સંબંધનો વહેમ રાખી અગાઉ ઝઘડો થયો હતો જેની અદાવત રાખી સંજય વસાવાના ઘર પાસે સુનિલ ઉસ્તાદ વસાવા,મયૂદ્દીન ઉર્ફે બકી સલીમ શેખ અને સોહેલ સિકંદર પઠાણ,સતીષ વિજય વસાવા તેની સાથે ઝઘડો કરી તેને મારમાર્યો હતો આ ઝઘડામાં આવેશમાં આવી ગયેલા મયૂદ્દીન સલીમ શેખ ઉશ્કેરાઈ જઈ પોતાના ઘરેથી ચપ્પુ ઘા મારી તેની હત્યા કરી ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા તાલુકા પોલીસે ચારેય હત્યારા વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે ચારેય હત્યારાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.