/connect-gujarat/media/post_banners/f70624984d8255e42de64c78f26d043b7ff839beece6dbee5ccae52458205cbc.jpg)
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત શાંતિબાગ સોસાયટી નજીક આવેલ ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારી કો.ઓ. ક્રેડિટ સોસાયટી લીમીટેડ, ભરૂચ દ્વારા જરૂરિયાતમંદોને બાળ કલ્યાણ યોજના અંતર્ગત શૈક્ષણિક કિટ તથા જીવન જરૂરીયાતની વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સામાજીક દાયિત્વના ભાગરૂપે શિક્ષણ સંઘ સમિતિ આનાથ બાળકો કે, જે પોતાના માતા-પિતાને ગુમાવી ચુક્યા છે,તેવા ભરૂચ-નર્મદા જિલ્લાના 82 બાળકોના વિકાસ માટે 4 હજાર રૂપિયાથી વધુની કિંમતની શૈક્ષણિક કીટનું વિતરણ ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કિશન વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. ધી ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારી મંડળ દ્વારા છેલ્લા 4 ચાર વર્ષથી શિક્ષણની સાથે સામાજિક સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. ગત વર્ષે જિલ્લા કર્મચારી મંડળ દ્વારા 61 આનાથ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી, ત્યારે આ વર્ષે નર્મદા અને ભરૂચ જિલ્લામાં 82 જેટલા અનાથ બાળકો નોંધવામાં આવ્યા હતા, ત્યારે ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારની શાંતિબાગ સોસાયટી નજીક આવેલ ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારી કો.ઓ. ક્રેડિટ સોસાયટીની શાખા ખાતે જરૂતિયાતમંદ બાળકોને અભ્યાસ ઉપયોગી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ અને નર્મદા શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, આત્મીય સ્કૂલના ડિરેક્ટર પ્રવીણ કાછડીયા,પ્રવિણસિંહ રણા સહિત સંઘના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.