ભરૂચ નર્મદા પાટણવાડીયા ઠાકોર સમાજના વગુસણા ખાતે યોજાયેલ સમૂહલગ્નમાં 5 નવયુગલોએ મંગળ ફેરા ફર્યા
ભરૂચ નર્મદા જિલ્લાના પાટણવાડિયા ઠાકોર સમાજના વગુસણા ખાતે આયોજિત સમૂહલગ્નોત્સવમાં પાંચ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા
BY Connect Gujarat Desk11 Feb 2024 11:59 AM GMT
X
Connect Gujarat Desk11 Feb 2024 11:59 AM GMT
ભરૂચ નર્મદા જિલ્લાના પાટણવાડિયા ઠાકોર સમાજના વગુસણા ખાતે આયોજિત સમૂહલગ્નોત્સવમાં પાંચ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા
ભરૂચ-નર્મદા જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજ દ્વારા સમાજના ઉત્થાન માટે અનેક સામાજીક અને શૈક્ષણિક કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે સમાજના લોકોને એક મંચ પર એકત્ર કરવા વગુસણા ગામ ખાતે ભરૂચ-નર્મદા પાટણવાડીયા ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં સમાજના પાંચ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ પ્રસંગે નવદંપતિઓને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં સમાજના મહાનુભાવો અને વડીલો ઉપસ્થિત રહી નવવધુઓને આશીર્વાદ આપ્યા હતા. આ સમુહ લગ્નોત્સને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ નિલેશભાઈ ઠાકોર, ખજાનચી સતિષ ઠાકોર, પ્રવકતા ભરતભાઈ ઠાકોર, મહામંત્રી ધર્મેન્દ્ર ઠાકોર અને પ્રભારી રાજેશભાઈ ઠાકોરએ ભારે જહેમત ઉઠાવી સમૂહ લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો.
Next Story