ભરૂચ: નેહરુ યુવા કેન્દ્ર દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતીની ઉજવણી કરાઇ, કોલેજના વિદ્યાર્થીઓએ લીધો ભાગ
ભરૂચમાં ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિની ઉજવણી, જે.પી.કોલેજ ખાતે ઉજવણીનું કરવામાં આવ્યુ આયોજન.
BY Connect Gujarat6 July 2023 12:38 PM GMT
X
Connect Gujarat6 July 2023 12:38 PM GMT
ભરૂચની જે.પી.કોલેજ ખાતે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર ભરુચ તેમજ શ્રી જયેન્દ્રપૂરી આર્ટ્સ અને સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી જન્મ જયંતીની ઉજવણી નવા સેમિનાર હોલ ખાતે કરવામાં આવી હતી. સદર કાર્યક્રમ અંતર્ગત ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન પર વકતૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Next Story