Connect Gujarat
ભરૂચ

ભરૂચ : શ્રાવણ માસના અંતિમ શનિવારે હાંસોટના દંત્રાઇ ગામે હનુમાન ચાલીસાનું સમૂહ પઠન કરાયું...

હનુમાન ટેકરી મંદિર ખાતે 2 હજારથી પણ વધુ રામભક્તોએ હનુમાન ચાલીસાના પાઠ કરી શ્રાવણ માસના અંતિમ શનિવારની ઉજવણી કરી હતી.

ભરૂચ : શ્રાવણ માસના અંતિમ શનિવારે હાંસોટના દંત્રાઇ ગામે હનુમાન ચાલીસાનું સમૂહ પઠન કરાયું...
X

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના દંત્રાઇ ગામ ખાતે શ્રી રામ ગ્રુપ દ્વારા હનુમાન ટેકરી મંદિર ખાતે 2 હજારથી પણ વધુ રામભક્તોએ હનુમાન ચાલીસાના પાઠ કરી શ્રાવણ માસના અંતિમ શનિવારની ઉજવણી કરી હતી.

હાલ ચાલી રહેલા શ્રાવણ માસના અંતિમ શનિવારના રોજ ભરૂચના હાંસોટ તાલુકાના દંત્રાઇ ગામે હનુમાન ટેકરી નજીક આવે મંદિર ખાતે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનની 2 હજારથી પણ વધુ લોકોએ એક સાથે આરતી કરીને ભક્તિભાવ ભર્યો મહોલ રચ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર-હાંસોટ તાલુકાના શ્રી રામ ગ્રુપના આગેવાન અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. 2 હજારથી વધુ ભક્તોએ એક સાથે મળીને હનુમાન ચાલીસાના પાઠ કરતાં વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ સાથે જ શ્રી રામ ગ્રુપ દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દંત્રાઇ ગામ સહિત આસપાસના ગ્રામજનોએ મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો.

Next Story