ભરૂચ : પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઓનલાઇન STEM ક્વિઝ 2.0 સ્પર્ધાનું સફળ આયોજન કરાયું...

ભરૂચ શહેરની નવજીવન શાળા સ્થિત પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઓનલાઇન STEM ક્વિઝ 2.0 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું..

New Update
ભરૂચ : પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઓનલાઇન STEM ક્વિઝ 2.0 સ્પર્ધાનું સફળ આયોજન કરાયું...

ભરૂચ શહેરની નવજીવન શાળા સ્થિત પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઓનલાઇન STEM ક્વિઝ 2.0 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી સ્પર્ધકોએ ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વિજ્ઞાન અને પ્રોધ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર સંલગ્ન પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર–DSC, ભરૂચના માર્ગદર્શન હેઠળ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તેમજ 9 તાલુકામાં એક એક કેન્દ્ર ફાળવી ઓનલાઇન STEM ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ભરૂચ જિલ્લામાંથી ધોરણ 9થી 12ના 18,500 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. આ ઓનલાઇન સ્પર્ધામાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના કો-ઓર્ડિનેટર કેશા પ્રજાપતિ દ્વારા 9 તાલુકામાં કો-ઓર્ડિનેટરની નિયુક્તિ કરી તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે 100થી વધુ વિદ્યાર્થીઓએ ક્વિજ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ચેરમેન કિર્તિ જોશી, કોમ્યુનિકેટર જિગર ભટ્ટ તેમજ શિક્ષકોનો ખૂબ જ સહયોગ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જિલ્લાકક્ષાની સ્પર્ધા બાદ દરેક તાલુકામાંથી 10-10 વિદ્યાર્થીઓ આગામી સમયમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ વિજેતા વિદ્યાર્થીઓને ડ્રોન, ટેલિસ્કોપ, ટેબલેટ, લેપટોપ સહિતના ઇનામો મેળવવાની તક પણ પ્રાપ્ત થશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Read the Next Article

ભરૂચ: દહેજની શિવા ફાર્મા કંપનીમાં રીએક્ટરમાં બ્લાસ્ટ, 2 કામદારોના મોત

ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા  જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો

New Update
  • ભરૂચના દહેજ સેઝ-1નો બનાવ

  • શિવા ફાર્મા કંપનીમાં બની દુર્ઘટના

  • રીએક્ટરમાં મોડી રાત્રે બ્લાસ્ટ

  • 2 કામદારોના નિપજ્યા મોત

  • 1 કામદાર ઇજાગ્રસ્ત

ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા  જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો
ઔધોગિક ભરૂચ જિલ્લાની દહેજ સેઝ 1 માં 2014થી શિવા ફાર્મા કેમ કાર્યરત છે. વડોદરા હેડ ક્વાર્ટર ધરાવતી અને 22 દેશોમાં નિકાસ કરતી કંપની એસીડ, આલ્કલાઈ ક્લોરાઇડનું દેહજમાં પ્રોડક્શન કરે છે. જે USA અને યુરોપમાં સ્ટોરેજ તેમજ વિતરણનું માળખું પણ ધરાવે છે. શનિવારે મધરાતે 2.40 કલાકે શિવા ફાર્મા કેમના દહેજ યુનિટમાં એસીડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. રીએક્ટરની કોલમમાં ઓવર પ્રેશર થતા બ્લાસ્ટ થયો હતો. એસીડ અને ગેસ ઉચ્ચ દબાણ સાથે રીએક્ટર ફાટતા બહાર નીકળતા નાઈટ શીપમાં કામ કરતા 3 કામદારો ગંભીર રીતે ઘવાયા હતા.
કંપનીમાં ઔધોગિક દુર્ઘટનાને લઈ અન્ય કામદારો અને સંચાલકોમાં પણ દોડધામ મચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ત્રણ કર્મચારીઓ મનાડ ગામના અર્જુન પરબતભાઈ પટેલ, પાલડી ગામના પ્રવીણ મનસુખભાઇ પરમાર અને ત્રાંકલ ગામના શૈલેન્દ્રસિંહ યાદવને વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાયા હતા. જ્યાં અર્જુન પટેલ અને પ્રવીણ પરમારનું મૃત્યુ થયું હતું.ઘટનાની જાણ થતાં દહેજ પોલીસ અને ઇન્ડટ્રીયલ એન્ડ સેફટી હેલ્થ વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી.કંપની સામે ફેકટરી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઇ છે. તપાસના અંતે કંપનીને પ્રોહીબિટરી નોટિસ પણ ફટકારાશે.