ભરૂચ: રમઝાન માસ અને ચૈત્રી નવરાત્રી નિમિત્તે પ્રાથમિક સુવિધાઓ આપવા વિપક્ષ કોંગ્રેસની માંગ,ચીફ ઓફિસરને કરાય રજૂઆત

પવિત્ર રમજાન માસ અને ચૈત્ર નવરાત્રીના ધાર્મિક તહેવાર દરમિયાન ભરૂચમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની માંગ

New Update
ભરૂચ: રમઝાન માસ અને ચૈત્રી નવરાત્રી નિમિત્તે પ્રાથમિક સુવિધાઓ આપવા વિપક્ષ કોંગ્રેસની માંગ,ચીફ ઓફિસરને કરાય રજૂઆત

પવિત્ર રમજાન માસ અને ચૈત્ર નવરાત્રીના ધાર્મિક તહેવાર દરમિયાન ભરૂચમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની માંગ સાથે વિપક્ષના સભ્યોએ નગર સેવા સદનના મુખ્ય અધિકારીને રજુઆત કરી હતી પવિત્ર રમજાન માસ અને ચૈત્રી નવરાત્રીના ધાર્મિક તહેવારો ચાલી રહ્યા છે.ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખી શહેરના તમામ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ ઉપર તંત્ર ધ્યાન આપે અને તેનું નિરાકરણ લાવે તેવી માંગ સાથે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના સભ્યોએ આજે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

વિપક્ષના સભ્યોએ આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ભરૂચ શહેરના તમામ વોર્ડ તેમજ મુખ્ય માર્ગ પર નિયમિત સાફ સફાઈ કરી ડી.ડી.ટી પાઉડરનો ઉપયોગ કરવામાં આવે તેમજ શહેરની ખૂલ્લી ગટરોની સાફ સફાઈ કરવામાં આવે સાથે જ ઉનાળાની ઋતુમાં જે વિસ્તારોમાં પાણી પુરવઠો ફોર્સથી નથી મળતો તે સમસ્યાને દૂર કરવામાં આવે. શહેરની સ્ટ્રીટ લાઈટો બંધ છે તે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે સહિતની માંગ કરવામાં આવી છે

Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.