Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નિવૃત્ત થનાર પ્રમુખ સહિત અન્ય આચાર્યોનું ભરૂચ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા સન્માન કરાયું...

ભરૂચ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા સંઘના નિવૃત્ત થનાર પ્રમુખ તેમજ અન્ય આચાર્યોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ શહેરના ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ભરૂચ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા સંઘના નિવૃત્ત થનાર પ્રમુખ તેમજ અન્ય આચાર્યોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઝાડેશ્વર BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી અનિર્દેશદાસની અધ્યક્ષતામાં ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે સન 2006થી અત્યાર સુધી ભરૂચ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા સંઘના પ્રમુખા તરીકે અવિરત સેવા આપનાર અને વય નિવૃત્ત થનાર પ્રવિણસિંહ રણા તેમજ અન્ય આચાર્યોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડા, જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા ઉપસ્થિત રહી નિવૃત થનાર પ્રમુખ પ્રવિણસિંહ રણાના યોગદાનને બિરદાવ્યો હતો. મહાનુભાવોના હસ્તે સન્માન પત્ર આપી બહુમાન કરી સ્વસ્થ નિવૃત્ત જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સંઘના અન્ય 5 આચાર્યોનું પણ સંઘ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં પ્રમુખ અમિતસિંહ વાંસદિયા, મહામંત્રી ઇકબાલ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને વિવિધ શૈક્ષણિક સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story