Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પાકિસ્તાનના વિદેશ મંત્રીએ PM મોદીને કસાઈ કહેતા ભાજપનો ઉગ્ર વિરોધ,પૂતળા દહન કરાયું

પાકિસ્તાનના વિદેશમંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પીએમ મોદી સામે કરેલી ટિપ્પણી બાબતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું

X

પાકિસ્તાનના વિદેશમંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પીએમ મોદી સામે કરેલી ટિપ્પણી બાબતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પીએમ મોદી સામે કરેલી અપમાનજનક ટિપ્પણીને લઈને દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકરોએ પાકિસ્તાન અને પાકિસ્તાનના વિદેશ મંત્રીના પૂતળાનું દહન કર્યું હતું સાથે જ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, સાંસદ મનસુખ વસાવા ,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ભરૂચ જિલ્લા ભાજપના યુવા પ્રમુખ રૂષભ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

Next Story