ભરૂચ પાંજરાપોળની “પહેલ” : હોળી દહન માટે ગાયના ગોબરમાંથી છાણા-આયુર્વેદિક સ્ટિક તૈયાર કરાય

ભરૂચ શહેર તથા જીલ્લામાં આગામી હોલિકા દહન માટે લાકડાની ખૂબ માંગ વધતી હોય છે,

New Update
ભરૂચ પાંજરાપોળની “પહેલ” : હોળી દહન માટે ગાયના ગોબરમાંથી છાણા-આયુર્વેદિક સ્ટિક તૈયાર કરાય

ભરૂચ શહેર તથા જીલ્લામાં આગામી હોલિકા દહન માટે લાકડાની ખૂબ માંગ વધતી હોય છે, ત્યારે ભરૂચના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ ખાતે ગાયના ગોબરમાંથી છાણાં તૈયાર કરવામાં આવ્યા છે. આ છાણાં સાથે આયુર્વેદિક સ્ટિક પણ બનાવવામાં આવી છે. જેબુ હાલ એડ્વાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે.

સમગ્ર ગુજરાત અને સમગ્ર વિશ્વમાં ફાગણ મહિનામાં હોલિકા દહનનું મહત્વ વધુ રહ્યું છે, અને હવે હોળીકા દહન અનેક વિસ્તારો સોસાયટીઓ તથા ગલીએ ગલીએ પ્રગટાવવામાં આવે છે. જેના કારણે લાખો ટન લાકડાઓ ઉપયોગમાં લેવાય છે, જેના કારણે સંખ્યાબધ વૃક્ષોનું નિકંદન કરવામાં આવે છે. પરંતુ વૃક્ષોનું નિકંદન ન થાય અને પર્યાવરણ જળવાય રહે તેવા આશ્રય સાથે હોળીકા દહન માટે હવે ગાયના ગોબરમાંથી છાણા તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે ભરૂચના પાંજરાપોળ ખાતે પણ 500થી વધુ ગાય આવેલી છે, અને રોજ અહીની ગાય મોટા પ્રમાણમાં ગોબર આપે છે, અને આ ગોબરનો સદઉપયોગ થાય અને તેમાંથી પણ બેરોજગારોને રોજગારી મળે સાથે જ પર્યાવરણનું જતન થાય તેવા આશય સાથે ગાયના ગોબરમાંથી હોળીકા દહન માટે છાણા તૈયાર કરવામાં આવી રહ્યા છે. એક છાણાની કિંમત 5 રૂપિયા રાખવામાં આવતા લોકો દ્વારા એડવાન્સમાં બુકિંગ શરૂ કરવામાં આવતા જ મોટા પ્રમાણમાં હજુ પણ છાણા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં પાંજરાપોળ ખાતે 5 હજારથી વધુ ગાયના ગોબરમાંથી આયુર્વેદિક સ્ટિક પણ તૈયાર થઈ ચૂકી છે. જેનું બુકિંગ શરૂ થતા હજુ પણ મોટા પ્રમાણમાં ગાયના ગોબરથી આયુર્વેદિક સ્ટિક તૈયાર કરવામાં આવી રહી છે. જોકે, હોળી પર્વ નજીક આવી રહ્યું છે, ત્યારે ભરૂચમાં ઠેર ઠેર હોલિકા દહનમાં કરવામાં આવનાર છે. હોલિકા દહનમાં મોટા ભાગે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે ભરૂચમાં આવેલા પાંજરાપોળના ટ્રસ્ટીઓએ નવતર પ્રયોગ કર્યો છે, અને હોળીને ધ્યાનમાં રાખીને ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવી રહ્યા છે. છાણાની હોળીથી તેના ધુમાડા સાથે વાતાવરણ પ્રફુલિત થશે અને પર્યાવરણ બચાવોનો સંદેશો યથાવત રહેશે, ત્યારે ગાયના ગોબરના છાણાની હોળી કરવા લોકોને પણ અપીલ કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.