ભરૂચ: હોળી પર્વને અનુલક્ષી એસ.ટી.વિભાગનું આયોજન, વધારાની ૭૫ બસ દોડાવવામાં આવશે

ભરૂચ જીલ્લામાં રોજગારી અર્થે આદિવાસી સહિત શ્રમિક પરિવારો સ્થાયી થયા છે પંરતુ હોળી – ધુળેટીનો તહેવાર સૌથી મોટી તહેવાર માનવામાં આવે છે.

New Update
ભરૂચ: હોળી પર્વને અનુલક્ષી એસ.ટી.વિભાગનું આયોજન, વધારાની ૭૫ બસ દોડાવવામાં આવશે

ભરૂચ જિલ્લામાં રોજગારી અર્થે ભરૂચ જીલ્લામાં સ્થાયી થયેલા આદિવાસી પરિવારો હોળી પર્વ મનાવવા વતન તરફ વાટ પકડતા ભરૂચ એસ.ટી ડેપો દ્વારા વધુ ૭૫ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જીલ્લામાં રોજગારી અર્થે આદિવાસી સહિત શ્રમિક પરિવારો સ્થાયી થયા છે પંરતુ હોળી – ધુળેટીનો તહેવાર સૌથી મોટી તહેવાર માનવામાં આવે છે.

Advertisment

જેના કારણે શ્રમિકો આ તહેવાર મનાવવા માટે પોતાના વતન જતા હોય છે.જેઓ સમયસર અને સહેલાઈથી પહોંચી શકે તે માટે ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા ૭૫ બસોની ફાળવણી કરવામાં આવી છે.તા.૪ થી ૬ માર્ચ દરમ્યાન આદિવાસી વિસ્તારો ઝાલોદ, દાહોદ, ગોધરા,ડેડીયાપાડા,સાગબારા વિસ્તારો માટે ૭૫ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી ભરૂચ એસટી વિભાગીય નિયામક વી.એચ.શર્માએ આપી હતી.જેમાં ભરૂચ, જંબુસર,અંકલેશ્વર,રાજપીપળા સહિત ઝઘડીયાના ડેપો પરથી વ્યવસ્થા કરવામાં આવી છે.

ભરૂચ ડેપો ઉપરથી જીએનએફસી કંટ્રોલ પોઈન્ટ ઉપરથી દાહોદ – ઝાલોદ માટે એક્સ્ટ્રા ૨૬ બસો,જંબુસર ડેપો ઉપરથી ૧૦ બસો, અંકલેશ્વર ડેપો ઉપરથી ૨૨ બસો,રાજપીપળા ડેપો ઉપરથી ૧૦ બસો અને ઝઘડીયા ડેપો ઉપરથી ૭ બસોની ફાળવણી કરી કુલ ૭૫ એક્સ્ટ્રા બસો આગામી ૪ થી ૬ માર્ચ એમ ૩ દિવસ સુધી બસો દોડાવવામાં આવનાર છે.

Advertisment
Read the Next Article

હિન્ડાલ્કોના ઇ-વેસ્ટ અને સેકન્ડરી કોપર રિસાયક્લિંગ પ્રોજેક્ટ દ્વારા પર્યાવરણ દિવસની કરાઈ ઉજવણી

હિન્ડાલ્કો દ્વારા "પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત" થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ, નિવારણ અને પ્રદૂષણ નિયંત્રણ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા

New Update
hindalco

ભારતનો પ્રથમ ઈ-વેસ્ટ અને સેકન્ડરી કોપર રિસાયક્લિંગ પ્રોજેક્ટ ભરૂચ જિલ્લાના વાગરા સ્થિત પખાજણ ખાતે શરૂ થયો છે. હિન્ડાલ્કો દ્વારા "પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત" થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.

Advertisment W3.CSS

આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણનિવારણ અને પ્રદૂષણ નિયંત્રણ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. કંપનીના પ્રમુખ અને યુનિટ હેડ કૌશિક વકીલે સભાને સંબોધિત કરી હતી અને પ્લાસ્ટિક કેરી બેગને બદલે શણની થેલીનો ઉપયોગ અને તેને રોજિંદા જીવનમાં અપનાવવા વિશે જણાવ્યું હતું. તેમણે રિસાયક્લિંગ પ્રોજેક્ટની વિશિષ્ટતા અને ગ્રીન પહેલ વિશે પણ માહિતી આપી હતી.

જેમ કે વિશ્વ કક્ષાની પ્રક્રિયા ટેકનોલોજી,પર્યાવરણ વડા ડો. સંજયકુમાર સીંગે હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અપનાવવામાં આવેલી ગ્રીન પહેલ વિશે મેનેજિંગ ડિરેક્ટર સતીશ પાઈનો સંદેશ આપ્યો હતો. રિસાયક્લિંગ પ્રોજેક્ટે પખાજણ ગામમાં પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ પણ યોજ્યો હતો અને પખાજણ ગામના તમામ રહેવાસીઓને શણની થેલીઓ અને રોપાઓનું વિતરણ કર્યું હતું.