ભરૂચ: હોળી પર્વને અનુલક્ષી એસ.ટી.વિભાગનું આયોજન, વધારાની ૭૫ બસ દોડાવવામાં આવશે

ભરૂચ જીલ્લામાં રોજગારી અર્થે આદિવાસી સહિત શ્રમિક પરિવારો સ્થાયી થયા છે પંરતુ હોળી – ધુળેટીનો તહેવાર સૌથી મોટી તહેવાર માનવામાં આવે છે.

New Update
ભરૂચ: હોળી પર્વને અનુલક્ષી એસ.ટી.વિભાગનું આયોજન, વધારાની ૭૫ બસ દોડાવવામાં આવશે

ભરૂચ જિલ્લામાં રોજગારી અર્થે ભરૂચ જીલ્લામાં સ્થાયી થયેલા આદિવાસી પરિવારો હોળી પર્વ મનાવવા વતન તરફ વાટ પકડતા ભરૂચ એસ.ટી ડેપો દ્વારા વધુ ૭૫ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જીલ્લામાં રોજગારી અર્થે આદિવાસી સહિત શ્રમિક પરિવારો સ્થાયી થયા છે પંરતુ હોળી – ધુળેટીનો તહેવાર સૌથી મોટી તહેવાર માનવામાં આવે છે.

જેના કારણે શ્રમિકો આ તહેવાર મનાવવા માટે પોતાના વતન જતા હોય છે.જેઓ સમયસર અને સહેલાઈથી પહોંચી શકે તે માટે ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા ૭૫ બસોની ફાળવણી કરવામાં આવી છે.તા.૪ થી ૬ માર્ચ દરમ્યાન આદિવાસી વિસ્તારો ઝાલોદ, દાહોદ, ગોધરા,ડેડીયાપાડા,સાગબારા વિસ્તારો માટે ૭૫ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી ભરૂચ એસટી વિભાગીય નિયામક વી.એચ.શર્માએ આપી હતી.જેમાં ભરૂચ, જંબુસર,અંકલેશ્વર,રાજપીપળા સહિત ઝઘડીયાના ડેપો પરથી વ્યવસ્થા કરવામાં આવી છે.

ભરૂચ ડેપો ઉપરથી જીએનએફસી કંટ્રોલ પોઈન્ટ ઉપરથી દાહોદ – ઝાલોદ માટે એક્સ્ટ્રા ૨૬ બસો,જંબુસર ડેપો ઉપરથી ૧૦ બસો, અંકલેશ્વર ડેપો ઉપરથી ૨૨ બસો,રાજપીપળા ડેપો ઉપરથી ૧૦ બસો અને ઝઘડીયા ડેપો ઉપરથી ૭ બસોની ફાળવણી કરી કુલ ૭૫ એક્સ્ટ્રા બસો આગામી ૪ થી ૬ માર્ચ એમ ૩ દિવસ સુધી બસો દોડાવવામાં આવનાર છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.