ભરૂચ : ટ્રાફિકને અડચણરૂપ દબાણો સામે સી’ ડિવિઝન પોલીસની લાલ આંખ, લારી-ગલ્લાઓ દૂર કરાયા...

લોકોને પણ નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

New Update
ભરૂચ : ટ્રાફિકને અડચણરૂપ દબાણો સામે સી’ ડિવિઝન પોલીસની લાલ આંખ, લારી-ગલ્લાઓ દૂર કરાયા...

ભરૂચ જિલ્લામાં જ્યારથી દહેગામ નજીક નવો હાઈવે શરૂ થયો છે, ત્યારથી જ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. એક તરફ શ્રવણ ચોકડી પાસે ચાલતી બ્રિજની કામગીરીના કારણે નાના વાહનચાલકો સીટી તરફ વળ્યા છે, જ્યાંથી તેઓ અન્ય હાઈવે પકડી રહ્યા છે. જેથી શહેરમાં ટ્રાફીક ભારણ વધ્યું છે, ત્યારે શહેરમાં વાહનચાલકો દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરાતા ટ્રાફિક પણ વધતો હતો. જેની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા શહેર એ, બી અને સી’ ડિવિઝનના પોલીસ અધિકારીઓને શહેરમાં જાહેર માર્ગો પર આડેધડ પાર્કિંગ કરેલા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી સહિત વાહન ડિટેઈનની કામગીરી કરવા આદેશ આપ્યા હતા, ત્યારે પોલીસ વિભાગ દ્વારા પાલિકા તંત્રની મદદ મેળવી ગત તા. 13 મે સોમવારના રોજથી શહેરભરમાં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

ટ્રાફિક ડ્રાઈવના ભાગરૂપે ભરૂચ શહેર સી’ ડિવિઝન પોલીસ મથકના પીઆઈના માર્ગદર્શન હેઠળ ઝાડેશ્વર ચોકડીથી મકતમપુર વિસ્તાર સુધીના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કરાયા હતા, ત્યારે પોલીસની કામગીરીના પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, આ દબાણ હટાવો ઝુંબેશ આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની છે, ત્યારે લોકોને પણ નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.
Latest Stories