ભરૂચ : આજથી ધાર્મિક તહેવારોનો પ્રારંભ, મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરાય

છેલ્લા ૨૫૦ વર્ષથી મેઘરાજાની સ્થાપના કરી શ્રાવણ માસની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી થતી હોય છે.

New Update
ભરૂચ : આજથી ધાર્મિક તહેવારોનો પ્રારંભ, મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરાય

માત્ર ભરૂચ જિલ્લામાં જ મેઘરાજાની સ્થાપના કરવામાં આવે છે અને છેલ્લા ૨૫૦ વર્ષથી મેઘરાજાની સ્થાપના કરી શ્રાવણ માસની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી થતી હોય છે. જેના ભાગરૂપે ભોઇ સમાજ દ્વારા મેઘરાજાની સ્થાપના કરવામાં આવી છે અને શ્રાવણી પૂનમ સુધી મેઘરાજાને નયનરમ્ય સ્વરૂપ આપવામાં આવનાર છે.

ભરૂચ જિલ્લામાં વસતા ભોઈ પંચ સમાજ દ્વારા મેઘરાજાની છેલ્લા ૨૫૦ વરસથી સ્થાપના કરવામાં આવે છે લોકવાયકા મુજબ વર્ષો પહેલા દુકાળની સ્થિતિ ઉભી થતા મેઘરાજાને રિઝવવા માટે ભોઈ પંચ દ્વારા જળદેવની સ્થાપના કરવામાં આવી હતી અને જો વરસાદ નહીં વરસે તો જળદેવ તરીકે સ્થાપિત મેઘરાજાની પ્રતિમાને ખંડિત કરાશે. તેવા સંકલ્પ સાથે જળદેવ તરીકે મેઘરાજાની સ્થાપના કરવામાં આવી હતી અને જળદેવની સ્થાપના થતાની સાથે જ મેહુલિયો મન મૂકીને વરસતા ભોઈ સમાજના લોકોની વેદના જળદેવે સાંભળી લીધી હોય તેમ સમગ્ર જળબંબકાની સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને ત્યારથી જ અષાઢી અમાસથી જળદેવની સ્થાપના કરવામાં આવે છે. ગઈકાલે મોડીરાત્રીએ ઓસાડની અમાસથી નર્મદા નદીની પવિત્ર માટી અને ગંગા નદીની માટીમાંથી મેઘરાજાની સ્થાપના કરવામાં આવી છે. મેઘરાજાને શ્રાવણી પૂનમ સુધી રંગરોગાન કરી શ્રાવણના સાતમ આઠમ નોમ અને દશમ દરમિયાન મેઘમેળામાં હજારો ભક્તો ભક્તિ ભાવપૂર્વક મેઘરાજાના દર્શન કરી ધન્યતા અનુભવનાર છે.

Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.

Latest Stories