ભરૂચ: રિક્ષા એશો.ની.હડતાલના કારણે અનેક મુસાફરો અટવાયા,રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ

ભરૂચ જિલ્લા જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.

New Update
ભરૂચ: રિક્ષા એશો.ની.હડતાલના કારણે અનેક મુસાફરો અટવાયા,રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ

ભરૂચમાં રિક્ષા એશો.ની હડતાળ

Advertisment

રિક્ષા ન માલ્ટા અનેક મુસાફરો અટવાયા

રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ

કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર

રિક્ષાસ્ટેન્ડ ફાળવવામાં આવે તેવી માંગ

ભરૂચમાં આજરોજ રિક્ષા એશો. દ્વારા હડતાળ પાડવામાં આવી છે જેના કારણે અનેક મુસાફરો અટવાયા હતા છેલ્લા 3 વર્ષથી ભરૂચમાં રિક્ષા ચાલકો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ પાલિકા કચેરી ખાતે રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં માંગણી નહીં સંતોષાતા રોષે ભરાયેલા ભરૂચ જિલ્લા જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.ભરૂચ જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મળી 15 હજારથી વધુ ઓટો રિક્ષા ચાલકો રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

જોકે વિવિધ વિસ્તારમાં ઓટો રિક્ષા ઉભી કરવા માટે નિયત ઓટો રિક્ષા સ્ટેન્ડ તંત્ર દ્વારા ફાળવવામાં આવ્યું ના હોય ઓટો રિક્ષાચાલક અને પોલીસ જવાનો વચ્ચે અનેકવાર તુંતું-મેમે ના દ્રશ્યો સર્જાતા હોય છે. રિક્ષા ચાલકો દ્વારા વારંવાર પાલિકા કચેરી તેમજ જિલ્લા કલેકટર ખાતે આવેદન પત્ર આપી વહેલી તકે ઓટો રિક્ષાસ્ટેન્ડ ફાળવવામાં આવે તેવી માંગ સાથે રજૂઆતો કરવામાં આવી હતી. તે છતાં પણ કાર્યવાહી ન કરવામાં આવતા એસોસિએશન દ્વારા હડતાલ પાડવામાં આવી હતી તેના કારણથી જિલ્લાભરમાં મુસાફરો અટવાયા હતા..

Advertisment
Read the Next Article

ભરૂચ: નગર સેવા સદન દ્વારા માય થેલી પ્લાસ્ટિકને કહો ના કહોની થીમ પર પર્યાવરણ દિવસની કરાય ઉજવણી

ભરૂચ માય થેલી અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો જોડાય હતી.

New Update

ભરૂચ નગર સેવા સદન દ્વારા યોજાયો કાર્યક્રમ

Advertisment W3.CSS

પર્યાવરણ દિવસની કરાય ઉજવણી

માય થેલીની થીમ પર કાર્યક્રમની ઉજવણી

પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવા અપાયું પ્રોત્સાહન

બહેનોએ કાર્યક્રમમાં લીધો ભાગ 

ભરૂચ માય થેલી અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો જોડાય હતી.
ભરૂચ નગરપાલિકા, NULM તથા જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ-ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ નગરપાલિકા સિવિક સેન્ટર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી."માય થેલી – પ્લાસ્ટિક બેગને ના કહો" થીમ સાથે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા નાગરિકો પાસેથી એકત્ર થયેલા જૂના કે ન વપરાતા કપડાંમાંથી પર્યાવરણને અનુકૂળ, ટકાઉ અને પુનઃવાપરી શકાય તેવી કાપડની થેલીઓ તૈયાર કરવામાં આવી રહી છે.આ પહેલના માધ્યમથી પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીઓ વાપરવાની સંસ્કૃતિ ઉભી કરવા સાથે સાથે પર્યાવરણીય જાગૃતિ અને કૌશલ્ય વિકાસનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના નિમિષા ગોસ્વામી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ તથા મહિલા મંડળની અગ્રણીઓ ઉપસ્થિત રહી આ અનોખી પહેલને વધાવી હતી.