ભરૂચ : રોટરી કલબ ઓફ ભરૂચના ઉપક્રમે રોટાથોન યોજાઇ, મોટી સંખ્યામાં લોકો જોડાયાં
રોટાથોનનું આયોજન કરવામાં આવ્યું. રોટાથોનના આયોજનનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા પ્રતિ લોકોમાં જાગૃતિ લાવવાનો હતો.
BY Connect Gujarat13 Feb 2022 8:58 AM GMT
X
Connect Gujarat13 Feb 2022 8:58 AM GMT
ભરૂચમાં રોટરી કલબના ઉપક્રમે રોટાથોનનું આયોજન કરવામાં આવ્યું. રોટાથોનના આયોજનનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા પ્રતિ લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. સવારે 5 વાગ્યાથી સ્ટેશન રોડ પર આવેલી રોટરી કલબ ખાતે શહેરીજનો એકત્ર થવા લાગ્યાં હતાં. રોટાથોન માટે બે રૂટ રાખવામાં આવ્યો હતો જેમાં એક 5 કીમીનો અને બીજો 10 કીમીનો. 500થી વધારે દોડવીરોને ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે લીલી ઝંડી બતાવી દોડવીરોને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રોટરી કલબ ભરૂચના પ્રેસિડેન્ટ ડો.વિક્રમકુમાર, ઇવેન્ટ ચેરમેન કેતન દેસાઈ ,સહિત અન્ય હોદ્દેદારો અને રોટરી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા...
Next Story