ભરૂચ : સનાતન ધર્મ પરિવાર દ્વારા સોમદાસ બાપુના સાનિધ્યમાં કરાઇ ગુરુપૂર્ણિમાની ઉજવણી
આજે પુનમનો દિવસ એટલે કે ગુરુપુર્ણિમાનો દિવસ, આજના દિવસે ઠેર ઠેર ભક્તો ગુરુના આશીર્વાદ લઈને ગુરુપૂર્ણિમાની ઉજવણી કરતાં હોય છે
BY Connect Gujarat Desk3 July 2023 7:31 AM GMT
X
Connect Gujarat Desk3 July 2023 7:31 AM GMT
ભરૂચ જિલ્લાના રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મ પરિવારના ગાદિપતિ સોમદાસ બાપુ તેમજ ધારાસભ્ય દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી.
આજે પુનમનો દિવસ એટલે કે ગુરુપુર્ણિમાનો દિવસ, આજના દિવસે ઠેર ઠેર ભક્તો ગુરુના આશીર્વાદ લઈને ગુરુપૂર્ણિમાની ઉજવણી કરતાં હોય છે, ત્યારે ભરૂચ જિલ્લાના રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મ પરિવારના ગાદિપતિ સોમદાસ બાપુ તેમજ ધારાસભ્ય દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં ગુરૂપૂર્ણિમાની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ હતી. જિલ્લામાં આવેલા આશ્રમ તેમજ દેવાલયો ખાતે સવારથી અનુયાયીઓએ ગુરુના ચરણોમાં શિશ ઝુકાવી તેમના શુભાશિષ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જિલ્લાભરમાંથી આવેલા સનાતન ધર્મ પરિવારના અનુયાયીઓ તથા ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ ,નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિત રાજકીય આગેવાનોએ સોમદાસબાપુના આર્શીવાદ મેળવ્યાં હતાં.
Next Story