Connect Gujarat
ભરૂચ

ભરૂચ : દહેજ ખાતે ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા “સંવિધાન ગૌરવ યાત્રા” યોજાય…

વાગર તાલુકાના વિવિધ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા-ભરૂચ દ્વારા સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : દહેજ ખાતે ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા “સંવિધાન ગૌરવ યાત્રા” યોજાય…
X

ભરૂચ જિલ્લાના વાગર તાલુકાના વિવિધ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા-ભરૂચ દ્વારા સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલ સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યસુચિ મુજબ સંવિધાન સેવા પખવાડીયા અંતર્ગત અનુસુચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં છે, ત્યારે ભરૂચ જિલ્લાના વાગર તાલુકાના વિવિધ વિસ્તારોમાં ભાજપના અનુસુચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન ગૌરવ યાત્રા યોજાય હતી. આ યાત્રા દહેજના ડો. આંબેડકર ચોક ખાતે આવી પહોચતા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ દ્વારા ભવ્ય સવાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે ભાજપ અનુસુચિત જાતિ મોરચાના અધ્યક્ષ કનુ પરમાર, કોશાધ્યક્ષ કિરણ ચૌહાણ, તાલુકા પ્રમુખ ભરતભાઈ, જિલ્લા સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ રામસિંગ રાઠોડ, એડવોકેટ વજેસંગ રાઠોડ, પૂર્વ સરપંચ જયદીપસિંહ રણા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story