ભરૂચ: જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સિવણ ક્લાસનો કરવામાં આવ્યો પ્રારંભ,મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પહેલ
સ્ટેશન રોડ ઉપર આવેલા શોપિંગ સેન્ટરમાં ભરૂચમાં સેવાભાવી કામ કરી રહેલ જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા અને યુવતીઓને પગભર બનાવવા માટે સિવણ ક્લાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
BY Connect Gujarat Desk27 Jan 2023 10:50 AM GMT
X
Connect Gujarat Desk27 Jan 2023 10:50 AM GMT
ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા શોપિંગ સેન્ટરમાં ભરૂચમાં સેવાભાવી કામ કરી રહેલ જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા અને યુવતીઓને પગભર બનાવવા માટે સિવણ ક્લાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ મિરાજ કોમ્પલેક્ષ ખાતે ભરૂચ જિલ્લામાં કાર્યરત સેવાભાવી સંસ્થા એવી જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લામાં જરૂરિયાતમંદ મહિલાઓ અને યુવતીઓ પગભર બને આત્મનિર્ભર બને તેવા શુભ આશયથી સીવણ ક્લાસનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં સૌ પ્રથમ ભગવાનની પૂજા અર્ચના કરી સીવણ ક્લાસને તાલીમાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.આ પ્રસંગે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના નીતિન માને,જિજ્ઞાસા ગોસ્વામી માને તેમજ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
Next Story