ભરૂચ : સીટી સેન્ટર બસ સ્ટેશનથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” અભિયાનનો પ્રારંભ...

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને સતત વેગ મળી રહ્યો છે.

New Update
ભરૂચ : સીટી સેન્ટર બસ સ્ટેશનથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” અભિયાનનો પ્રારંભ...

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને સતત વેગ મળી રહ્યો છે. જેના ભાગરૂપે ભરૂચના સીટી સેન્ટર બસ સ્ટેશનથી ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટરે સફાઈ હાથ ધરી ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

ભરૂચમાં નવા બનેલા સીટી સેન્ટર બસ ડેપો ખાતે ‘શુભ યાત્રા,સ્વચ્છ યાત્રા’ના સૂત્ર સાથે સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા કલેકટર તુષાર સુમેરા સહિત એસટી. ડેપોના કર્મીઓ, પ્રાર્થના વિદ્યાલયના બાળકો તેમજ સફાઈ કર્મીઓએ બસ ડેપોમાં સફાઈ કરી સ્વચ્છતા હી સેવામાં શ્રમદાન કર્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યુ હતું કે, “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા”ના લોગો સાથે એસટી. વિભાગ દ્વારા સ્વચ્છતાની થીમનો શુભારંભ થયો છે. આપણા લોકો માટેની યાત્રા માટે આજે પણ એસટી. બસ મુખ્ય સાધન છે, ત્યારે બસમાં પણ કચરો ન થાય તે માટે દરેક બસમાં ડસ્ટબિનની સુવિધા ઉભી કરાય છે. સ્વચ્છતા જાળવવી આપણી નૈતિક જવાબદારી છે, ત્યારે તમામ જગ્યાએ સ્વચ્છતા જળવાઈ રહે તેવા પ્રયત્નો સૌકોઈએ કરવાના છે, જ્યારે સફાઈકર્મીઓ પ્રત્યે માનવીય સંવેદના દાખવી ગમે ત્યાં ન થૂંકવૂ તેમજ ગંદકી ન કરવા ભારપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની પ્રેરણાથી સમગ્ર લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે. સ્વચ્છતાના આ પવિત્ર યજ્ઞમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે એસટી.ના વિભાગીય નિયામક શૈલેષ ચૌહાણ તથા એસટી.ના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં સફાઈકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: દિવસે ગેસ્ટ હાઉસમાં રહી રાતે દુકાનો-મકાનોમાં ચોરી કરતા 2 રીઢા ચોરની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતીઅને બાતમીવાળા ઈસમો આવતા પોલીસે તેઓને અટકાવી પૂછપરછ કરતા તેઓએ મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી

New Update
  • ભરૂચ એ ડિવિઝન પોલીસને મળી સફળતા

  • મકાન દુકાનોમાં ચોરી કરતા 2 રીઢા ચોર ઝડપાયા

  • સુરત અને ભરૂચમાં ચોરીના ગુનાઓને આપ્યો હતો અંજામ

  • રૂ.13 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

  • પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે શહેર અને સુરત શહેરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી શટર તોડ ટોળકીના બે રીઢા સાગરીતો સહિત એક લબરમુછીયાને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગત તારીખ-19મી જુનના રોજ રાતે નંદેલાવ રોડ ઉપર શુકન રેસિડેન્સીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ 1થી 3 દુકાનોને નિશાન બનાવી મહાદેવ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનનું શટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપનાર ઈસમો નંદેલાવ રોડ ઉપર ફરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતીઅને બાતમીવાળા ઈસમો આવતા પોલીસે તેઓને અટકાવી પૂછપરછ કરતા તેઓએ મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે 13 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સુરતના કતારગામના રઘુવીર એપાર્ટમેન્ટમાં રહેતો ડેનિશ ઉર્ફે ડેનિયો ભુપત ઘોઘારી તેમજ પ્રવીણ નારાયણ નાગર અને એક લબરમુછીયાને ઝડપી પાડ્યો હતો.ઝડપાયેલા રીઢા ગુનેગારો અલગ અલગ જિલ્લામાં ગેસ્ટ હાઉસમાં રોકાણ કરી દિવસ દરમિયાન રેકી કરી રાતે બંધ દુકાનના શટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાની વૃત્તિ ધરાવે છે.ઝડપાયેલા ઈસમો વિરુદ્ધ અનેક જિલ્લાઓમાં ચોરીના ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
Latest Stories