Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સીટી સેન્ટર બસ સ્ટેશનથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” અભિયાનનો પ્રારંભ...

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને સતત વેગ મળી રહ્યો છે.

X

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને સતત વેગ મળી રહ્યો છે. જેના ભાગરૂપે ભરૂચના સીટી સેન્ટર બસ સ્ટેશનથી ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટરે સફાઈ હાથ ધરી ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

ભરૂચમાં નવા બનેલા સીટી સેન્ટર બસ ડેપો ખાતે ‘શુભ યાત્રા,સ્વચ્છ યાત્રા’ના સૂત્ર સાથે સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા કલેકટર તુષાર સુમેરા સહિત એસટી. ડેપોના કર્મીઓ, પ્રાર્થના વિદ્યાલયના બાળકો તેમજ સફાઈ કર્મીઓએ બસ ડેપોમાં સફાઈ કરી સ્વચ્છતા હી સેવામાં શ્રમદાન કર્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યુ હતું કે, “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા”ના લોગો સાથે એસટી. વિભાગ દ્વારા સ્વચ્છતાની થીમનો શુભારંભ થયો છે. આપણા લોકો માટેની યાત્રા માટે આજે પણ એસટી. બસ મુખ્ય સાધન છે, ત્યારે બસમાં પણ કચરો ન થાય તે માટે દરેક બસમાં ડસ્ટબિનની સુવિધા ઉભી કરાય છે. સ્વચ્છતા જાળવવી આપણી નૈતિક જવાબદારી છે, ત્યારે તમામ જગ્યાએ સ્વચ્છતા જળવાઈ રહે તેવા પ્રયત્નો સૌકોઈએ કરવાના છે, જ્યારે સફાઈકર્મીઓ પ્રત્યે માનવીય સંવેદના દાખવી ગમે ત્યાં ન થૂંકવૂ તેમજ ગંદકી ન કરવા ભારપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની પ્રેરણાથી સમગ્ર લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે. સ્વચ્છતાના આ પવિત્ર યજ્ઞમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે એસટી.ના વિભાગીય નિયામક શૈલેષ ચૌહાણ તથા એસટી.ના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં સફાઈકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story