Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કે.જે.ચોક્સી ઓડિટોરિયમ ખાતે સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટનો સ્નેહમિલન સમારોહ યોજાયો...

શહેરના કે.જે.ચોક્સી ઓડિટોરિયમ ખાતે સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : કે.જે.ચોક્સી ઓડિટોરિયમ ખાતે સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટનો સ્નેહમિલન સમારોહ યોજાયો...
X

ભરૂચ શહેરના કે.જે.ચોક્સી ઓડિટોરિયમ ખાતે સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચમાં સામાજિક ક્ષેત્રે અને જીવદયા ક્ષેત્રે કાર્ય કરતી અગ્રણી સંસ્થા સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે, ત્યારે સાર્થક ફાઉન્ડેશનના સભ્યો તેમજ શુભેચ્છકો માટે કે.જે.ચોક્સી ઓડિટોરિયમ ખાતે સ્નેહમિલન સમારોહનું યોજવામાં આવ્યો હતો. જેમાં સાર્થક ફાઉન્ડેશનના વિવિધ સામાજિક કાર્યો અને જીવદયા ક્ષેત્રમાં થયેલા સેવાકાર્યો અને આગામી પ્રોજેક્ટ અંગે સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના હેતલભાઈએ હાજર સૌકોઈ સભ્યોને માહિતી આપી હતી. આ પ્રસંગે જાણીતા વક્તા દિનેશ સેવક, બી.જી.પી ગ્રુપના એમડી જયેશ પટેલ, ફાઉન્ડેશનના શુભેચ્છક મનોજ ફૂલચંદાની સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story