Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંબાજી મંદિરમાં વિષા યંત્રની વિશેષ પૂજા, અવિરત પણે પાણી વહી રહ્યું હોવાની માન્યતા

અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને વર્ષ 2015 માં શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે.

X

શક્તિની ભક્તિ સાથે અરાધનાના પર્વ નવલા નોરતાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં શક્તિપીઠનો દરજ્જો પામેલ અંબાજી મંદિરની રોચક કથા 2000 વર્ષ પ્રાચીન રહેલી છે. મંદિરમાં એક વિષાયંત્ર છે જેમાંથી અવિરત પણે પાણી વહી રહયું છે

અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને વર્ષ 2015 માં શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે. મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે.મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે પ્રમાણે જ આ અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે અને આ મંદિરમાં રહેલ વિષાયંત્રનું પણ અનેરૂ મહત્વ રહેલું છે. આસો નવરાત્રિમાં જેમ મોટા અંબાજી મંદિરમાં માતાજીને 9 દિવસ વિવિધ સિંહાસન ઉપર બિરાજમાન કરાય છે તે રીતે જ ભરૂચના દાંડિયા બજારના અંબાજી મંદિરે પણ માતાજીને નવરાત્રીમાં અલગ અલગ સિંહાસનો ઉપર બિરાજમાન કરવામાં આવે છે.દાંડિયા બજાર શક્તિપીઠ અંબાજી મંદિરની સ્થાપના સવંત 7માં 2065 વર્ષ પેહલા કરવામાં આવી હતી. અને આ પ્રાચીન મંદિરમાં વર્ષો પહેલાથી વિષાયંત્ર, શંકર પાર્વતી, બે શિવલિંગ, ગણેશજી, હનુમાનજી તથા રામ લક્ષ્મણ સીતા સહિત ચંદન સુખડના કાષ્ઠની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેનો ઉલ્લેખ ભરુચના ઇતિહાસમાં અને રેવા પુરાણોમાં અંકિત કરવામાં આવ્યો છે. મંદિરમાં રહેલ વિષાયંત્રમાંથી સતત પાણી વહે છે જે અલૌકિક છે. આ યંત્રના દર્શન માટે સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે. મંદિરમાં સૌપ્રથમ ચંદન અને સુખડ માંથી બનેલી માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી

Next Story