ભરૂચ: જંબુસરમાં રસ્તે રખડતા ઢોરનો આતંક; ગાયે હુમલો કરતા યુવતીને ગંભીર ઇજાઓ

જંબુસરમાં રસ્તે રખડતાં ઢોરનો આતંક વધ્યો ગાયે યુવતી પર હુમલો કરતાં ગંભીર ઇજાઓ

New Update
ભરૂચ: જંબુસરમાં રસ્તે રખડતા ઢોરનો આતંક; ગાયે હુમલો કરતા યુવતીને ગંભીર ઇજાઓ

ભરૂચના જંબુસર રખડતાં ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. એક ગાયે યુવતી પર હુમલો કરીને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી છે. ભરૂચ જિલ્લાના જંબુસરમાં દિવસેને દિવસે રસ્તે રઝળતા ઢોરનો આતંક વધી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરનો અંડીગો જોવા મળી રહ્યો છે. શહેરમાં ઢોરને છુટ્ટો દોર મળી જતાં જાહેર માર્ગો પર અંદરોઅંદર યુદ્ધ કરતા પણ રાહદારી સહિત અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અગાઉ પણ અનેકવાર રાહદારીઓ અને વાહનચાલકો રખડતાં ઢોરના હુમલાનો શિકાર બની ચૂક્યા છે. છતાં પણ આજદીન સુધી તનતરા દ્વારા કોઈ જાતની કાર્યાવાહી કરવામાં આવી નથી. જંબુસરના તમામ મુખ્ય માર્ગો પર રખડતાં ઢોરો અડિંગો જમાવી બેસતા હોય છે. જેના કારણે નગરજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, ગતરાત્રીના સમયે પણ ગાયે એક યુવતીને અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ઇજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહત્વનુ છે કે આ અંગે નગરપાલિકા વિરોધપક્ષ દ્વારા પણ મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડી છે. ત્યારે હવે નગરપાલિકા સત્તાધીશો લોકોના હિતનું વિચારીને આ સમસ્યાનું નિરાકરણ ક્યાં સુધી લાવે છે તે તો જોવું રહ્યું.!

Read the Next Article

ભરૂચ: આમોદ-જંબુસરને જોડતો જર્જરીત બ્રિજ મોટા વાહનો માટે બંધ,કલેકટર ગૌરાંગ મકવાણાએ કર્યું સ્થળ નિરીક્ષણ

આમોદ-જંબુસરને જોડતો જર્જરીત બ્રિજને તાત્કાલિક અસરથી ભારદારી વાહનોના પસાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કાર સહિતના નાના વાહનો જ આ બ્રિજ પરથી પસાર થઈ શકશે

New Update
  • ભરૂચના આમોદ જંબુસર વચ્ચે આવેલો છે બ્રિજ

  • ઢાઢર નદી પરનો બ્રિજ છે જર્જરીત હાલતમાં

  • કલેકટરે બ્રિજની લીધી મુલાકાત

  • બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો

  • યુદ્ધના ધોરણે સમારકામ કરાશે

ભરૂચના જંબુસર થી આમોદને જોડતા ઢાઢર નદી પરના જર્જરીત બ્રિજ પરથી ભારદારી વાહનોના પસાર થવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સાથે જ કલેકટર ગૌરાંગ મકવાણાએ પણ જર્જરીત બ્રિજ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું.

તાજેતરમાં જ વડોદરા આણંદ વચ્ચે આવેલ મહીસાગર નદી પરનો બ્રિજ ધારાશાયી થઈ જતા 19 જેટલા લોકોના મોત નિપજ્યા છે ત્યારે ભરૂચના આમોદથી જંબુસરને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ પણ અત્યંત જર્જરીત હાલતમાં હોવાના અહેવાલ પ્રકાશિત થયા હતા. આ બાદ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે કલેકટર ગૌરાંગ મકવાણાએ આજરોજ બ્રિજ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું.

અધિકારીઓ પાસે બ્રિજની સ્થિતિ અંગેની માહિતી મેળવી હતી ત્યારબાદ તાત્કાલિક અસરથી આ બ્રિજ પરથી ભારદારી વાહનોના પસાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કાર સહિતના નાના વાહનો જ આ બ્રિજ પરથી પસાર થઈ શકશે. મોટા વાહનો માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિજ બંધ રહેશે તે દરમિયાન યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે જર્જરીત બ્રિજની ગંભીરતા સમજી કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.