Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પાલેજ સ્થિત હજરત સૈયદ દફતર અલી બાવા સરકાર દરગાહ શરીફનું 47મું સંદલ શરીફ સંપન્ન…

પાલેજ સ્થિત હજરત સૈયદ દફતર અલી બાવા સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર 47મા સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

ભરૂચ : પાલેજ સ્થિત હજરત સૈયદ દફતર અલી બાવા સરકાર દરગાહ શરીફનું 47મું સંદલ શરીફ સંપન્ન…
X

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત હજરત સૈયદ દફતર અલી બાવા સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર 47મા સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા.

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત હજરત સૈયદ દફતર અલી બાવા સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર અનુયાયીઓની હાજરીમાં 47મા સંદલ શરીફની વિધિ સંપન્ન કરાય હતી. સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી. અસરની નમાઝ બાદ દરગાહના ટ્રસ્ટીઓ પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાય હતી. સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ દફતર અલી સરકારના આસ્તાના પર મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા. સંદલ શરીફનું ઝુલુસ દરગાહ પાસેથી આલીમો તેમજ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં પ્રસ્થાન થયું હતું. જે ઝુલુસ સલાતો સલામના પઠન સાથે દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. દરગાહ શરીફ પર પહોંચી દરગાહ શરીફના સંકુલમાં આવેલી મસ્જિદના ખતીબો ઇમામ મૌલાના હુસૈન સાહેબ તેમજ અન્ય સૈયદ સાદાતોના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાય હતી. ટ્રસ્ટીઓ તેમજ સાદાતોના હસ્તે ફૂલ ચાદર અને ગીલાફ અર્પણ કરાયા હતા. સાથે સાથે અકિદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મસ્જિદના ઇમામ સાહેબ તેમજ ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story