Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પુત્રએ કેસરિયા કરતા પિતાએ બનાવ્યું નવુ સંગઠન, છોટુ વસાવાની નવો દાવ !

લોકસભાની ચૂંટણી ટાણે જ ભરૂચની ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ નવા સંગઠનની જાહેરાત કરતાં જ રાજકારણ ફરી ગરમાયું છે.

X

લોકસભાની ચૂંટણી ટાણે જ ભરૂચની ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ નવા સંગઠનની જાહેરાત કરતાં જ રાજકારણ ફરી ગરમાયું છે.

આજરોજ જયપાલસિંહ મુંડાની ૫૪મી પુણ્યતિથિ નિમિત્તે ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના નિવાસસ્થાને સમર્થકોની એક બેઠક યોજાઇ હતી જેમાં નવા સંગઠન ભારત આદિવાસી સેના નામના સંગઠનની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી હતી. ભારત આદિવાસી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે છોટુ વસાવાની નિમણૂક કરવામાં આવી હતી.આ સંગઠન ભારત દેશના વિવિધ વિસ્તારમાં વિસ્તારવા સાથે છોટુ વસાવાએ આડકતરી રીતે ભાજપની સરકારને ઘોડા-ગધેડા સાથે સરખાવી હતી આ સંગઠન ભારતનું સંવિધાન અમારો ધર્મ છે, પ્રકૃતિ અમારું જીવન છે નારા હેઠળ લડત આપવામાં આવશે અને આખા દેશમાં આ સંગઠનના હોદ્દેદારોની આગામી સમયમાં નિમણૂક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.આ બેઠકમાં છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા, રાજુ વસાવા,અશ્વિન પટેલ, રોહિત નરેન્દ્ર, અંબાલાલ જાધવ તેમજ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story