/connect-gujarat/media/post_banners/3cc17e95b1ce55445b525c8d61b021e85066923ddc5155bb1a684f7c9c3e2944.jpg)
ભરૂચ શહેરના કૃષિ યુનિવર્સિટીથી ઝાડેશ્વર બસ સ્ટેન્ડ સુધીના રસ્તાના નવીનીકરણની કામગીરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવી હતી.
ભરૂચ શહેરના કૃષિ યુનિવર્સિટીથી ઝાડેશ્વરના મુખ્ય માર્ગ પર મીઠા પાણીની લાઈન નાખવાની કામગીરી ચાલતી હોય, જેમાં સાઇટ પરનો રસ્તો શોધીને પાઇપ નાખવામાં આવી હતી. તે કામગીરી પૂર્ણ થતા ઘણા વખતથી લોકોની આ રસ્તાના નવીનીકરણ કરવા માટેની માંગ હતી, ત્યારે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજિત રૂ. 1.30 કરોડના ખર્ચે ઝાડેશ્વર રોડ પર આવેલ કૃષિ યુનિવર્સિટીથી ઝાડેશ્વર બસ સ્ટેન્ડ સુધી ડાબી બાજુના રીસરફેસિંગ તેમજ રિસ્ટોરેશનના કામનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આપણો પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભાજપના હોદ્દેદારો અગ્રણીઓ સહિત મોટી સંખ્યા સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.