ભરૂચ : મહિલા પ્રોફેસરના ફોટો પાડવા સહિતના મુદ્દે નેત્રંગની સરકારી વિનયન-વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓનો હોબાળો...

નેત્રંગ તાલુકા મથકે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે મહિલા પ્રોફેસરના ફોટો પાડવા સહિતના મુદ્દે વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

New Update
ભરૂચ : મહિલા પ્રોફેસરના ફોટો પાડવા સહિતના મુદ્દે નેત્રંગની સરકારી વિનયન-વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓનો હોબાળો...

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે મહિલા પ્રોફેસરના ફોટો પાડવા સહિતના મુદ્દે વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ અવારનવાર વિવાદમાં સપડાતી રહે છે. થોડા દિવસો અગાઉ કોલેજમાં નેશનલ લેવલના સેમીનારમાં એક પ્રોફેસરનું બેચ તુટી જવાથી ક્લાકૅ-કારકુન તરીકે ફરજ બજાવતી સહાયક મહિલા તેમને મદદ કરતા હતા. જે દરમ્યાન કોલેજમાં જ લાયબ્રેરીયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસરે તેમનો ફોટો પાડ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સહિતના વિવિધ મુદ્દે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી ભારે હોબાળો મચાવ્યો હતો. મહિલા પ્રોફેસરના ફોટો પાડવા સહિતના મુદ્દે નેત્રંગના કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો હતો. બનાવની જાણ થતાં જ કોલેજના સતાધીશો ગેટ નજીક દોડી આવ્યા હતા, જ્યાં સામસામે એકબીજાના નિવેદનો અને રજૂઆતો સાંભળી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ, બનાવના પગલે નેત્રંગ પોલીસ કાફલો પણ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે દોડી આવી હોબાળો મચાવનાર વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, કોલેજ સ્ટાફ દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે છેડતી અને ગેરવર્તન કરવામાં આવે છે. જેનો તમામ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ દર્શાવી કોલેજના 3 પ્રોફેસર તેમજ લાઇબ્રેરીયનને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગ કરી હતી.

Read the Next Article

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ

New Update
Bharuch Grampanchayat Election
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય,  ૦૫ વિસર્જન, અને પેટા ૧૪૫ મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી. 
      
આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૭ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. તેમજ કુલ-૬૮ પંચાયતો પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની ૦૩, વાગરાની ૦૧, ભરૂચ તાલુકાની ૦૧ અંકલેશ્વરની ૦૪, હાંસોટ તાલુકાની ૦૭, ઝઘડીયા તાલુકાની ૦૨  ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે. કુલ ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે..