ભરૂચ: જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલા પાછળ આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા

લક્ષ્મી નારાયણ સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી તોડી અંદાજિત 5 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

New Update
ભરૂચ: જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલા પાછળ આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા

ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખના બંગ્લા પાછળ આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી તોડી અંદાજિત 5 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

શિયાળો તેની મધ્યમાં પહોચતા ભરુચ શહેરમાં ચોરીની ઘટના સામે આવી રહી છે.ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખના બંગ્લા પાછળ આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોલંકી પોતાનું મકાન બંધ કરી કામ અર્થે પૂના ખાતે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી અંદર રહેલ સોનાના ઘરેણાં સહિત અંદાજિત 5 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી જ્યારે તસ્કરોએ ઘર પાસે પાર્ક કરેલ કારની પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે બેટરીના વાયરો બહાર કાઢી નાખ્યા હોવાથી કારની ચોરીની નિષ્ફળ રહી હતી ચોરી અંગે મકાન માલિકે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.ચોરીની ઘટના સીસીટીવી કેમેરા કેદ થઈ છે.

Read the Next Article

ભરૂચ : વાલિયા લોકેશનની 108 ઇમરજન્સી ટીમની ઉત્કૃષ્ટ કામગીરી, દર્દીની રોકડ રકમ અને ATM કાર્ડ પરત કર્યા

ભરૂચના વાલિયાની 108 એમ્બ્યુલન્સ ટીમે તાકીદની સેવા સાથે પ્રામાણિકતાનો અનોખો દાખલો આપી પ્રશંસા મેળવી છે. તાજેતરમાં અંકલેશ્વર પાસે પ્રતીન ચોકડી નજીક

New Update
IMG-20250812-WA0253

ભરૂચના વાલિયાની 108 એમ્બ્યુલન્સ ટીમે તાકીદની સેવા સાથે પ્રામાણિકતાનો અનોખો દાખલો આપી પ્રશંસા મેળવી છે.

તાજેતરમાં અંકલેશ્વર પાસે પ્રતીન ચોકડી નજીક અકસ્માતનો કોલ મળતાં જ વાલિયા 108 લોકેશન પર ફરજ બજાવતા EMT નિલમ પટેલ અને પાયલોટ મોહનલાલ વસાવાએ વિલંબ કર્યા વિના જરૂરી તૈયારી કરી સ્થળ પર દોડી ગયા ત્યાં પહોંચીને તેમણે બેભાન હાલતમાં એક વ્યક્તિને તાત્કાલિક સારવાર આપી એમ્બ્યુલન્સ મારફતે ઝડપથી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. 
સારવાર દરમ્યાન દર્દી પાસે આશરે ₹10,860 રોકડ અને એટીએમ કાર્ડ મળ્યું હતી.જે અંગે ફરજ પરના સ્ટાફે તરત જ દર્દીના સગાંઓને જાણ કરી 12 ઑગસ્ટ 2025ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરથી આવેલા દર્દીના સગાઓને રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ પરત આપ્યા હતા. આ ઘટનાથી વાલિયા 2 લોકેશનની 108 એમ્બ્યુલન્સ ટીમે માત્ર સેવા જ નહીં, પણ પ્રામાણિકતાનો પણ ઉત્તમ સંદેશ આપ્યો છે.
Latest Stories