ભરૂચ : માર્ગ અકસ્માતમાં કેલ્વીકુવાના 2 યુવાનનું કરૂણ મોત, ગ્રામજનોમાં શોક...
જિલ્લાના નેત્રંગ તાલુકાના કેલ્વીકુવાના 2 યુવાનનું અંકલેશ્વર નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નિપજતા ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
BY Connect Gujarat Desk15 Nov 2022 1:01 PM GMT
X
Connect Gujarat Desk15 Nov 2022 1:01 PM GMT
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કેલ્વીકુવાના 2 યુવાનનું અંકલેશ્વર નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નિપજતા ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના મનીષ વસાવા અને ચીમન વસાવા મોટરસાયકલ લઇને અંકલેશ્વર કોર્ટમાં હાજર થવાનું હોવાથી કેલ્વીકુવા ગામથી નીકળ્યા હતા. આ દરમ્યાન DL-1-AE-9047 કારના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટરસાયકલને પાછળના ભાગેથી ટક્કર મારી હતી, ત્યારે મોટરસાયકલ સવાર બન્ને યુવાનોને હાથ-પગ અને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમ્યાન બન્નેનું કરૂણ મોત નિપજતા પરીવારના સભ્યો અને ગ્રામજનોમાં શોક વ્યાપી જવા માંડ્યો હતો.
Next Story