Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મામલતદાર કચેરી તથા કલેક્ટર ઓફિસમાં ફરજ બજાવતા બે યુવકના હૃદયરોગના હુમલાથી મોત

ભરૂચ : મામલતદાર કચેરી તથા કલેક્ટર ઓફિસમાં ફરજ બજાવતા બે યુવકના હૃદયરોગના હુમલાથી મોત
X

ભરૂચની મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા 41 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હતું. જ્યારે ભરૂચ કલેક્ટર ઓફિસમાં CSR પ્રવૃત્તિઓનું વિવિધ NGO અને કોર્પોરેટ ઉદ્યોગ ગૃહો સાથે સંકલન યુવાનનું પણ તેમના નિવાસ સ્થાને મોત નીપજ્યું હતું. બંનેના આચનક મોતથી પરીવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ભરૂચ જિલ્લામાં હાર્ટ એટેકથી મોત નિપજવાનો સીલસીલો યથાવત છે.ત્યારે ભરૂચ શહેરમાં આજ રોજ મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં 41 વર્ષીય વિજય સુરેશભાઈ રાણા કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે બપોરના સમયે તેને ઘભરામણ થતા અચાનક ટેબલ પર ઢળી પડ્યો હતો. જેથી તેની સાથે કામગીરી કરતા સહકર્મીઓમાં દોડધામ મચી ગઈ હતી. ત્યાર બાદ વિજયને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. વિજયને પરિવારમાં પત્ની અને બે પુત્રી પણ છે.જ્યારે બે બહેનોનો માત્ર એક જ ભાઈની ચીર વિદાયથી પરિવારજનો સહિત સહકર્મીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

જ્યારે બીજા બનાવમાં ભરૂચની કલેકટરની ઓફિસમાં CSR પ્રવૃત્તિઓનું વિવિધ NGO અને કોર્પોરેટ ઉદ્યોગ ગૃહો સાથે સંકલન કરતા યુવાન વિન્સેન્ટ જોનનું તેમના નિવાસસ્થાને આણંદ ખાતે અચાનક હૃદયરોગનાં હુમલામાં તત્કાળ નિધન થયું હતું.ત્યારે ત્રણ દીવસની સરકારી રજાઓ માણી આજે અચાનક તેમનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયુ ગયો છે.

Next Story