ભરૂચ : ઉમલ્લા ગામે ક્ષત્રિય સમાજના “ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ”નું આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું...
ક્ષત્રિય સમાજ રોષે ભરાય ભાજપનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
BY Connect Gujarat Desk30 April 2024 9:51 AM GMT
X
Connect Gujarat Desk30 April 2024 9:51 AM GMT
ભારતીય જનતા પાર્ટી દ્વારા પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાતા ક્ષત્રિય સમાજ રોષે ભરાય ભાજપનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજપૂત સમાજની સંકલન સમિતિ-ગુજરાત દ્વારા ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ રાજ્યભરમાં ફરી રહ્યો છે, ત્યારે આ ધર્મરથ નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત હરસિદ્ધિ માતાના મંદિરેથી પ્રસ્થાન કરી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આગમન કરતા તાલુકાના ઉમલ્લા રાજપારડી તેમજ ઝગડિયાના નાના સાંજા ખાતે ધર્મરથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જેમાં રાજપૂત-ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ધર્મરથની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભારે સૂત્રોચાર કરી ભાજપનો વિરોધ નોંધવાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા.
Next Story