ભરૂચ : નિરામય ગુજરાત યોજના હેઠળ જિલ્લાના 5.61 લાખ લોકોના આરોગ્યની તપાસ થશે

રાજય સરકારની વધુ એક મહત્વની યોજના નિરામય ગુજરાતનો પ્રારંભ થયો છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો આ યોજના

New Update
ભરૂચ : નિરામય ગુજરાત યોજના હેઠળ જિલ્લાના 5.61 લાખ લોકોના આરોગ્યની તપાસ થશે

રાજય સરકારની વધુ એક મહત્વની યોજના નિરામય ગુજરાતનો પ્રારંભ થયો છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો આ યોજના હેઠળ બિન-ચેપી રોગોથી પીડાતા 5.61 લાખ લોકોને આવરી લેવાશે.

Advertisment

ગુજરાત સરકાર લોકોના આરોગ્ય પ્રત્યે વધુ ધ્યાન આપવા માટે નવી યોજના લઇને આવી છે. નિરાયમ ગુજરાત યોજના હેઠળ હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટીસ જેવા બિનચેપી રોગોથી પીડાતા દર્દીઓને આવરી લેવાશે. આ પ્રકારના રોગોથી લોકોને બચાવાવા અને તેમની ખાસ કાળજી લેવાના મુખ્ય હેતુ સાથે ગુજરાત સરકારે ૩૦થી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો તેમજ હોસ્પિટલો ખાતે આરોગ્ય સ્ક્રીનિંગ-તપાસ કરવામાં આવશે.

વધુમાં આવા દર્દીઓને હેલ્થ આઈડીની નોંધણી કરાશે. જેના કારણે સારવાર સમય કોઈપણ તબીબને માહિતી મળી શકશે. કાર્ડ ઈસ્યુ કરવા માટે આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં કિઓસ્ક મૂકાશે. વર્ષમાં બે વાર દરેક ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ 'નિરામય' કેમ્પનું આયોજન કરાશે. દર્દીની તપાસ બાદ જો જરૂર જણાશે તો વધુ તપાસ માટે તજજ્ઞ તબીબ પાસે રિફર કરી શકાશે. દરેક દર્દીની સારવાર બાદ દર છ મહિને એક વાર તેનો ફોલોઅપ લેવાશે. આ મેગા મેડિકલ કેમ્પમાં કલેકટર તુષાર સુમેરા ,નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા,જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, આરોગ્ય અધિકારી જે. એસ. દુલેરા,સહિત પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા કવિ સંમેલન યોજાશે

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિરસનો થાળ પીરસવામાં આવશે.

New Update
gana music lover group

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં સામાજિક કાર્યક્રમો માટે પ્રયત્નશીલ ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા દિપ કેમના વિનોદ જાગાણીના આર્થિક સહયોગથી આગામી તારીખ 1લી જૂન રવિવારે રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisment

Kavi sammelan

આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના મુંબઈના કવિઓ હિતેન આનંદપુરા,મુકેશ જોષી,સુરેશ ઝવેરી,જ્હોની શાહ,અર્ચના શાહ,તેમજ ભરૂચના કિરણ જોગીદાસ,હેમાંગ જોષી દ્વારા કવિરસનો થાળ પીરસવામાં આવશે.

Advertisment