ભરૂચ: વાગરાના રહીયાદ ગામે જમીન ગુમાવનારા ખેડૂતોએ રોજગારીના પ્રશ્ને કર્યું વિરોધ પ્રદર્શન

વાગરાના રહીયાદ ગામે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જમીન ગુમાવનારા ખેડૂતોના આક્ષેપ.

New Update
ભરૂચ: વાગરાના રહીયાદ ગામે જમીન ગુમાવનારા ખેડૂતોએ રોજગારીના પ્રશ્ને કર્યું વિરોધ પ્રદર્શન

વાગરાના રહીયાદ ખાતે જમીન ગુમાવનારા ખેડૂતોએ રોજગારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા તંત્ર દોડતું થયું હતું.

ઔદ્યોગિક વિકાસ હેતુ માટે વાગરા તાલુકાના રહિયાદ ગામ માં જમીન વિહોણા ખેડૂતોએ વર્ષ ૨૦૦૮માં તેઓને સંપૂર્ણ ખેતીલાયક જમીન જીઆઇડીસીને સંમતિ એવોર્ડથી સંપાદન કરવામાં આવી હતી જેમાં તે સમયે જીઆઇડીસીના અધિકારી દ્વારા ટૂંક સમયમાં જમીનવિહોણા ખેડૂતોને કાયમી ધોરણે રોજગારી આપવા અને ગામના વિકાસ કરવાનો એક લેખિત વચન પત્ર વર્ષ ૨૦૦૮માં આપવામાં આવ્યો હતો.

હાલ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે 59થી વધુ લેન્ડ લૂઝર્સ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આંદોલનકારીઓ દ્વારા જીઆઇડીસીના ગેટની બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.