Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસર ગ્રામ્ય વિસ્તારના વિવિધ માર્ગો બન્યા અતિ’બિસ્માર, તાલુકા કોંગ્રેસ સમિતિએ આપ્યું તંત્ર આવેદન...

સારોદ ચોકડીથી કોરા ચોકડી સુધીનો માર્ગ પણ અતિ બિસ્માર બન્યો છે, જે બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી.

X

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીની કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના કાવી અને દહેગામનો રસ્તો બિસ્માર હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ સાથે જ સારોદ ચોકડીથી કોરા ચોકડી સુધીનો માર્ગ પણ અતિ બિસ્માર બન્યો છે, જે બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી.

વધુમાં જંબુસર તાલુકાના છિદ્રા ગામથી સીગામનો રસ્તો તથા મદાફર ગામનો એપ્રોચ રોડ, જંબુસરથી ખાનપુરનો રસ્તો પણ બિસ્માર હોય જે બાબતે પણ અવાર નવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી, તેવા આક્ષેપો સાથે જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપી વહેલી તકે બિસ્માર માર્ગો અંગેની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રભુદાસ મકવાણા, પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી હતી.

Next Story