Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આજે શીતળા સાતમ, ઝાડેશ્વર ખાતે મહિલાઓએ મંદિરે પૂજા અર્ચના કરી

આજે શીતળા સાતમનો પર્વ છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર મંદિર ખાતે મહિલાઓએ ઘીનો દીવો કરી માતા શીતળાની પૂરા ભાવથી પૂજા અર્ચના કરી હતી.

X

આજે શીતળા સાતમનો પર્વ છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર મંદિર ખાતે મહિલાઓએ ઘીનો દીવો કરી માતા શીતળાની પૂરા ભાવથી પૂજા અર્ચના કરી હતી.

પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા સર્જાય છે. ભાવિ ભક્તો આ પવિત્ર શ્રાવણ માહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે. જન્માષ્ટમી જેવા મુખ્ય તહેવાર પહેલા જ શીતળા સાતમ આવે છે. આ તહેવાર ખાસ કરીને ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે.લોકમાન્યતાઓ પ્રમાણે આ તહેવારનું મહત્વ પણ અનેરું છે.જેમાં સૌભાગ્યવતિ સ્ત્રી શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પૂજા-અર્ચના કરે છે.શીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદને સાતમના દિવસે આવે છે. આ પાવન દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ ઝાડેશ્વર સ્થિત શીતળા માતાના મંદિરે શીતળા માતાની પૂજા અર્ચના કરી હતી. આ દિવસે વ્રત કરનાર સવારે વહેલા ઉઠી અને ઠંડા પાણીથી સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી ઘીનો દીવો કરી માતા શીતળાની પૂરા ભાવથી પૂજા અર્ચના કરી હતી.

Next Story